SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેનું અનુમરણજન્ય કઇસહન, એ સતીતર વિગેરેના કણસહનને હિસાબે મોટી વાત નથી. પરંતુ, ભારતીય શિષ્ટ સાહિત્યમાં અનુસરણની જે નિંદા, કરવામાં આવી છે, અને તેને ઉખેડી કાઢવામાં આવે છે, તેને આશય એ છે, કે-“અનુમરણ કરતાં પણ ઉચ્ચ જીવન આદર્શ છે,” એવા ખ્યાલવિના “અનુસરણ જ ઉચ્ચ જીવન છે.” એમ માની લેવાય, તે તે બેઠું છે, અસત્ય છે. આધ્યાત્મિક ઉસ્થિતિઓ કરતાં અનુસરણ એ ઉતરતી સ્થિતિ છે. એ સમજાવવા ખાતર અનુમરણને વખોડી કાઢવામાં આવે છે. અને એ ખરૂં છે કે “જગતના દરેક સત્ય સાપેક્ષ હોય છે” એટલે દુન્યવી સામાન્ય સ્ત્રી કરતાં પતિવ્રતાને દરજે ઊંચે, તેના કરતાં સતી પતિવ્રતાને ઊંચે છે. તેના કરતાં આર્ય સતી પતિવ્રતાને ઊંચે છે, તેના કરતાં સમ્યફ વધારિણીને, તેના કરતાં દેશવિરતિ ધારિણીને, તેના કરતાં સર્વવિરતિધારિણીને ઉચે છે. એમ ઉપરના દરજજાવાળા કરતાં નીચેના દરજજાવાળા ઉતરતા છે. ઉતરતાની દષ્ટિમાં ઉપરના દરજજાની સ્તુતિ, અને પિતાથી ઉતરતાની નિંદા થાય, તે એક જાતની સત્યની જ બાજુઓ છે. સતી થવા વિષેના આધુનિક વિચારના મૂળભૂત સાહિત્ય [“ચાંદ” માસિકના સતી વિષેના ખાસ સંગ્રહિત લેખેને અંક, વિગેરે] વાંચ્યા પછી અમારા આ નિર્ણયે સત્યની વધુ તરફેણ કરનારા અમે અહીં નોંધ્યા છે. જેન કથાઓમાં આવા અનુમરણના કવચિત્ દાખલા સિવાય ઘણા ઓછા દાખલા હશે. પરંતુ, સાથે સાથે સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ ધારણ કરી વધુ ઉત્તમ સતીત્વ પૂરવાર કરવાના જાણ દાખલા મળી આવે છે, માટે વિદ્વાનોના વચનો આશય આજકાલના ઘણા વિદ્વાન ભાઈઓ નથી સમજી શકતા, ત્યારે ગમે તેને માટે ગમે તેમ લખી મારે છે, જે ઘણું જ અયોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy