SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર વિદ્વાન અને પ્રસિદ્ધ આચાર્ય મહારાજ એના વ્યાખ્યાના સાંભ ળવાની હરેક તકને તેઓશ્રીએ સારા ઉપયાગ કર્યો છે. અનેક જાતની તપશ્ચર્યા પણ કરી છે, યાત્રાએ કરી છે. ઉપરાંત શિષ્યા પ્રશિષ્યાઓને સમુદાય પણ સારા પ્રમાણમાં વધ્યા છે. પરંતુ તેની સાથે સાધ્વી જીવનની મર્યાદા, સ્વસમુદાયની પ્રતિષ્ઠા, શાસ્ત્ર અભ્યાસમાં ખૂબ સારી રીતે વેગ તેમના સમુદાયમાં પ્રથમથી જ જોવાતા આવે છે. ૫૪ વર્ષના દીક્ષાપર્યાય જેવા લાંખા સમયમાં શ્રાવિકા વર્ગોમાં ધર્મ ભાવના ટકાવવાને આ સાધ્વીજીના જીવન ચરિત્રે ઘણા જ મૂંગા અને પ્રગટ ઉપકાર કરેલા જોવામાં આવે છે. તેમનુ' વિસ્તૃત જીવનચરિત્ર સ. ૧૯૮૯ માં તત્ત્વાર્થના પરિશિષ્ટમાં છપાયેલ છે. એટલે અહિં તેના વિસ્તાર અસ્થાને છે. તેમના શિષ્યા પ્રશિષ્યા સમુદાયની હકીકત આ સાથે જોડેલી છે. શ્રી આત્મારાજી મહારાજશ્રોના પણ આ સાધ્વીજી મહા રાજાએ માટે ઉંચા અભિપ્રાય હતા કે "यहां पे शिवश्रीजी व हेतश्रीजी जो साध्वीयां है, वे बहुत सुशीलाचरणवाली है, विनयवती है, और कभी भी न तो सांसारिक झगडा में पडे, व नहीं तो करे किसी की निंदा. बस साध्वीयें तो ऐसी ही होना. 99 રામપુરા જન્મ ૧૯૦૮. દીક્ષા. ૧૯૨૬, રાધનપુર સ્વર્ગવાસ ૧૯૮૦ અમદાવાદ. તેમના પછી તિલકેશ્રીજી મહારાજ તેમના સમુદાયનુ નેતૃત્વ ચલાવતા આવ્યા છે. તેમનુ' સાંસારિક નામ રુખીબાઈ હતું. રાધનપુરમાં રહેતા હતા. તેમનું માનસ પશુ બાલ્યાવસ્થાથો જ વૈરાગ્યવાસિત હતુ, છતાં તેમને માતાપિતાના અનુરાધથી લગ્ન કરવુ પડયું હતું. તેના પિતાનું નામ છલચ્છાચંદ ટીલાસંદ હતું. અને માતાનુ નામ વીજલીબાઇ હતું. તેને છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy