SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકો લખ્યા છે, અને લખે છે. માત્ર ભારય આર્ય પ્રજા શાભાવિક રીતે જ આનુવંશિક શુદ્ધિવાળી છે. તેની હરિફાઈ ખાતર, તેને નીચે પાઠ, પોતે ભવિષ્યમાં તેનાથી આગળ આવા કેટલાક વિદ્ધાને અહિંના યુવકના માનસને બગાડી અને તે યુવા વયેવૃદ્ધ થાય એટલે તેમને નેતા બનાવી, તેમની મારફત ભારતીય આર્ય સંસ્કૃતિના કેન્દ્રોને રગદોળવાને પ્રયાસ કુદરથી કરાતા માલુમ પડે છે. અસ્તુ આનુવંશિક શુદ્ધિવાળા, સંસ્કારી અને ઉચ્ચ ખાનદાનીવાળા સમાજમાં જન્મ ધારણ કરવાનું સદભાગ્ય જે આત્માને પ્રાપ્ત થાય, તે આત્માન દરજજે પણ વિશ્વના પ્રાણી માત્રના જુદા જુદા દરજજાને હિસાબે કેટલે ઊંચે દરજજે છે? તેની વાચકોએ ખાસ કલ્પના કરવા જેવી છે. દુનિયાભરના સામાજિક દરવાજામાં લગભગ ઉપરની ટોચ ઉપર તેનું સ્થાન આવે છે. એ સત્ય આ વિષયના વિજ્ઞાનના નિષ્ણાત વાચકના ખ્યાલમાં બરાબર આવી શકશે જ. ૫ બાણ સુસંસ્કારની ભારતીય સામગ્રી. ભારતવર્ષમાં વર્તમાન કાળે વસવાટ કરતા માનવજાતિએના જીવન પલટાવી નાંખી, યુપીય માનાના લાભની પ્રવૃત્તિઓના કેન્દ્રોમાં ઉપયોગી થાય, તેવી જાતનું સામાજિક, આર્થિક, પ્રજાકીય, બૌધિક ઘડતર કરવા એટલે તેવી રીતે કેળવી લેવા આધુનિક કેળવણી શરૂ થઈ છે, જેને પરિણામે આજે અહિંના માનવેને બાહ્ય સંસ્કાર મળી રહેલ છે, ત્યારે ખરા આનુવંશિક સંસ્કારો નાશ પામી રહેલ છે. આવી રીતની આ આધુનિક કેળવણી શરૂ થતાં પહેલાં અહિંના માનવીને બાહા સંસ્કાર પણ સારી રીતે મળી રહેલા હતા. અને તેથી જ પ્રાચીન કાળમાં આ દેશમાંના માનવરત્નો જગતપૂજ્ય અને માન્ય દરજજામાં આવી શકતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy