SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વર્ષે મેટા વિદ્વાન્ થનારા બાળક, બે વર્ષની ઉંમરે પૂરું એલી પણ નથી શકતા હેાતા, તે પછી તે વખતે વાંચતાં લખતાં આવડવાની તા વાત જ શી ? છતાં, એક જ વ્યક્તિમાં વખત જતાં એટલે બધા ક્રૂરક પડે છે, તેનુ કારણ શું? કહેવુ જ પડશે કે ઘઉં ખળ અવસ્થામાં ઢંકાયેલા ગુણ્ા માટી ઉમ્મરે ખીલે છે. જો ખળક અવસ્થામાં પણ ઢંકાયેલા છતાં તેનામાં તે ગુણે! વિદ્યમાન ન જ હોય, તેા માટી ઉમ્મરે પણ તે ગુણે! કયાંથી આવે ? મેટી ઉમ્મરે જે ગુણા ખીલે છે, તેના ખીજ નાની ઉમ્મરમાં હાય જ છે. માત્ર, તે વખતે તે ઢંકાયેલા હતા, તે ઉંમર થતાં ખીલ્યા છે. “ અભ્યાસની સામગ્રીની મદદથી જ ખીલે છે” એમ કદાચ કહેવામાં આવે, તા તે પણ વ્યાજખી નથી. કેમકે—અભ્યાસની સરખી સામગ્રી છતાં એક છેકરા પહેલે નખરે બેસે છે, અને મીએ છેલ્લે નખરે બેસે છે. વખત જતાં, એક માટા વિદ્વાન તરીકે જાહેર થાય છે, અને બીજો માંડમાંડ પેાલીસની નેાકરી કે કારકુની મેળવે છે. એટલે, મહારની અભ્યાસની સામગ્રી કરતાં અંદરની કુદરતી લાયકાત, એ જ એ ભેદનુ–એટલે ચડ-ઉતર શક્તિનું મૂળ કારણુ હાય છે. જો અંદર લાયકાત ન હાય, તેા માટી ઉમ્મરે પણ તે ખીલે નહીં; કેમકે ન હાય, તે પર્ગટ ન થાય. ” ܕܪ તલમાંથી તેલ નીકળે, પણ રેતીમાંથી તેલ ન નીકળે; તલમાં તેલ ન હાય, તા ગમે તેટલા પીલવા છતાં, ઘાણીના લાકડામાંથી નીકળીને તેલ તલમાં દાખલ ન થાય. અને જો તેમ થતુ હોય, તા રતી પીલાતાં પણ તેલ મળવુ જોઈએ. ' આ ઉપરથી આપણે એ ચાસ નક્કી કરી શકીએ કે પ્રાણિઓમાં અનેક શક્તિઓ હોય છે, તે અમુક કાળે ઢંકાયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy