SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના. - પ્રાચીન હિન્દના વિષય–જે ઇતિહાસકર્તા અને પંડિતાનું ધ્યાન ખેંચે એવા છે તે વિષે વધારે લક્ષ આપવામાં આવ્યું છે; પરંતુ તેની સાથે સરખામણી કરતાં, તેના મધ્યકાલિક ઇતિહાસના શેાધ કરવાના, એ કરતાં જરા ઉતરતી પંક્તિના કામ ઉપર, પ્રમાણમાં ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. જો કે અશાક અને ચંદ્રગુપ્તના સમય, શોધ કરવાને માટે વિશેષ ઉંચા વિષય છે, તેા પણ તેટલા સારૂ, જે સમય એછે પ્રાચીન છે તે ચાલતા હિન્દ સાથે વધારે વ્યાવહારિક સંબંધ ધરાવે છે, તે વાત ભૂલી જવી જોઇયે નહિ. વળી વિશેષ એ છે કે, અર્વાચીન હિન્દથી પ્રારંભ કરીને, તેથી ગયલા પાછળના સમયેા ઉપર ઉતરિયે તે! તેથી આપણને પાકા આધાર મળે છે; તેમ છતાં, જ્યાં સુધી તે સમયેા અંધારામાં રહી ગયેલા હૂઁ ત્યાં સુધી, તેમના પછીના સમય ઉપર પડેલું અજવાળું ગમે એટલું પ્રકાશમાન હાય તથાપિ તે અજવાળું ગ્રહણ કરી લેવાનું કામ સંશયજનક થઈ પડે. કાઈ પરદેશી જન હિન્દની ભૂમિમાં ગમે તેટલી મુદત સુધી વશ્યા હાય તે, હાલના લેાકેાની ધણી રીતભાતા અને યાજે લેાકેા થઈ ગયાને ધણી મુદત થઈ નથી તેઓની સ્થિતિની રહી ગયેલી નિશાનિયેા છે એવું ખુલ્લી રીતે તેના જોવામાં આવ્યા વિના રહેશે નહિ—જેમ કે, દબદબાભરેલા વ્હાણુના પ્રાતિભાસિક આકાર, કે જે માત્ર આવરણે કરીને વાતાવરણમાં ચમત્કારિક રીતે વક્રીભવન થવાથી થયેલા, તે જેવી રીતે વ્હાણુના નાના વિધના દેખાવ ઉંચ સ્થાને પરાવર્ત્તન પામેલા દેખાડી આપે છે (ઇટલીમાં થાય છે તેમ) તેવી રીતે, વણાંની હૈયાત વસ્તુ, લાંખા વિચાર કરતાં, મૂલ વસ્તુઓનું ભાન કરાવે છે. જે લેાકેાનું રાજ્ય લઈ પડીને મુસલમાનાએ તેમને ઠેકાણે પાતાનું કર્યું તે જ લેકાનાં લક્ષણુ, મુસલમાનના રાજ્યની નિશાનિયા હાલ વ્હેલી છે તેમાં, ધણી મજજીતાઈથી અંક્તિ થયેલાં છે, અને તે જ ઉપરથી, પશ્ચિમના પર્વતે ભણીથી મુસલમાન લેાકેાના હુમલાનું ધાડું આવીને દેશમાં પડયું તેના વ્હેલાં આય્વર્ઝની ભૂમિ ઘણાં દબદબાભરેલાં નગરાથી શણગરાયેલી હરશે એવી સત્યતા મ્હાડી શકાય છે. આ પ્રમાણે છતાં પણ આગળના દિવસેાના એવા મહિમા બતાવી આપનાર, વધારે ચેાક્કસ નિશાનિયા છે, અને તે ઉપરથી, મહાપ્રતા પવાન કનાજ, ભેાજનું કલ્પિત કથાઓમાં વર્ણવેલું નગર, ગહન ચાગિનીપુર, એના, છાયા રૂપે ચિતાર આપણે ધારી શકિયે છિયે. અમે લખ્યાં તે શહ રાની માત્ર હૈયાતી જ નથી, એએની શ્રેષ્ઠતા માન્ય કરી તે દેશ કરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy