SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ મહમૂદ બેગડા-ચાંપાનેરને વિનાશ ૪૮૫ તેનેા પ્રધાન (ડુંગરશી) પેાતાના જ લેાહીથી લદબદી ગયેલા શાહના હાથમાં સપડાયા. મહમૂદ્દે પાતાની જિતને માટે ખુદાની બંદગી કરાવી, અને માદા તથા ઘવાયલા રાજા સાજો થતાં સુધી મસ્જીદ બંધાવાના કામમાં અને નવું નામ પાડેલા મહમૂદાબાદ શહરને મુસલમાની ઢબે આણુવાના કામમાં પડ્યો. પણ મહમૂદે પોતાના જયને એક કલંક લગાડ્યું, તે એ કે, રાવળ જયસિંહના અને તેના પ્રધાનના ઘા રૂઝયા, ત્યારે તેમણે યાદશાહને વિનંતિ કરી કે તમે જો અમને મારી નાંખા નહિ તે। અમે મુસલમાની ધર્મ સ્વીકારિયે પણ તેઓનું કશું નહિ સાંભળતાં તેમને ઠાર કા. ચાંપાનેરના નાશ વિષેનું મુસલમાન ઉપર પ્રમાણે વર્ણન આપે છે. છેલ્લા બલિદાનમાં જે હિન્દુ રાજા હામાયા,—અને તેવાં જ કૃત્ય લેાહીના પ્રેમવાળી કાલિને પ્રિય છે-તેઓનાં નામ ભાટાએ રક્ષી મૂક્યાં છેઃ छपय - संवत पंदर प्रमाण, एकताको संवत्सर 2 पोस मास तिथि त्रीज, वढेहु वार रवि सुदन; मरशिया खटभूप, प्रथम वेरसी पडीजे; जाडेजो सारंग, करण, जेतपाल कहीजे, सरवरियां चन्द्रभाण, पताइ काज पिंड ज दियो; महमुदावाद मेहेराण, लघु कटक सरपावो लियो. આ ઉપરથી જણાય છે કે મહમૂદનાથી ડુંગર ઉપરના કિલ્લા લેવાયે નથી, પણ માત્ર શહેર લેવાયું છે. અને મુસલમાની તિહાસકારા તે સંબંધી કાંઈ વિશેષ એાલતા નથી તોય પણ હિન્દુની દંતકથામાં કહે છે કે પવન રહી, તેમણે લૂંટફાટ કરવા માંડી, તે તેમ ન કરે એટલા માટે, અમદાવાદના સુલ્તાને તેમને કેટલાંએક ગામામાં ચાય આપવા કબૂલી. ત્યાં તેમણે ઘેાડે ચેડે પેાતાની સત્તા જમાવી અને એટલા વધારા કરચો કે રાજપીપળાથી તે ગાધરા વચ્ચેના તમામ પ્રદેશ તેમના હાથમાં આવ્યા. પછી એ ભાઈયાએ અર્ધોઅર્ધ રાજ્ય વ્હેર્યું. સ્ફુટા પૃથ્વીરાજજીના ભાગમાં સાહન (ટા ઉદેપુર) અને ન્હાના ડુઇંગરસિંહજીની પાંતીમાં મારિયા આવ્યું. આ સ્થાનાએ આજ સુધી તેમના વંશજો રાજ્ય કરે છે. ૨. ઉ. ૧ આ પ્રસંગે ભાટ લેાકાએ ઘણી ચાક્કસ સાલ લખી છે, ફેરિશ્તાના લખવા પ્રમાણે ચાંપાનેરના નાશ ઈ. સ. ૧૪૮૪ માં થયા. જે મ. પ્રિન્સેપ્સના મત પ્રમાણે સંવત્ અને ઇસવી સનની વચ્ચે સત્તાવન વર્ષનું અંતર ગણવામાં આવે તે મુસલમાનાએ લખેલી સાલ ભાટ લેાકાની સાલ સાથે બરાબર મળતી આવે. અને સાધારણ ચાલ છે તે પ્રમાણે છપ્પન વર્ષનું અંતર ગણવામાં આવે તે એક વર્ષ ફેર પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy