SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ રાસમાળા હાલાજી પરમાર મુસલમાન ધર્મમાં ગયો તે ઉપરથી મહમૂદ બેગડાએ કેટલાંક પ્રગણામાં પસાયતાં આપ્યાં તે લેવાની તેણે ના પાડી અને કહ્યું કે મારા કુટુંબિના જાણવામાં નથી કે મારી કેવી સ્થિતિ થઈ છે, માટે રાણપુર શહર જે ઉજજડ થઈ ગયું છે અને જે મારા મામા રાણજી ગેહિલના તાબામાં હતું, તથા પાદશાહે ખેડાવીને તેની સીમ માં મીઠું વવરાવ્યું છે તે આપ. પાદશાહે રાણપુર તેને સોંપ્યું, ત્યારે હાલાજિયે તામ્રપટ ઉપર લેખ કરી આપવાનું કહ્યું, પણ પાદશાહે કહ્યું કે, તમે મુસલમાન થયા છે તે કંઈ વીસરી જવાય એવું નથી, માટે લેખની કશી અગત્ય નથી. લખધીરજી પરમાર તો પોતાના જ ધર્મમાં રહ્યા અને તેના પૂર્વજોએ મૂળની જાગીર મેળવી લીધી. તેનું મરણ કેવા પ્રકારે થયું તે નીચેની વાત ઉપરથી જણાય છે સાણંદના ઠાકોરે એક ચારણને શણસર ગામ પસાયતું આપેલું તેના વિશમાં ગઢવી રળિયે નામે થયે, તે બુદ્ધિવાળો અને ખરેખર મશ્કરે હતો. તે વેળાએ દેશમાં લુટફાટ બહુ ચાલતી હતી, પણ ચારણનું ગામ હાજી રાયધણજી કુબેરજી હરધોળજી ૪ ગાહજી સ. ૧૨૫૫-૧૨૮૫ ૫ વેહેણુજી - ઇ. સ. ૧૨૮૫-૧૩૨૧ ૬ મૂળજી ] ઇ. સ. ૧૩૨૧-૧૩૪૭ ૭ કાંછ | | . સ. ૧૩૪૭–૧૪૧૪ ૮ આમરજી ઈ. સ. ૧૪૧૪-૧૪૨૯ ૯ ભીમજી | | ઈ. સ. ૧૪૨૯-૧૪૭૨ ૧૦ હમીરજી | ઇ. સ. ૧૪૭૨-૧૫૦૬ ૧૧ રાવ ખેંગારજી . સ. ૧૫૧૦-૧૫૮૬ (ભૂજમાં ગાદી સ્થાપી) હરપાળજી. ઉnહજી તમાચીજી વલમજી હરધોળજી લાખાજી (નવાનગરની ગાદી સ્થાપી) જામ રાવળજી હળજી (ધોળ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy