SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ રાસમાળા તેઓની કલોલની શાખા કરતાં સાણંદની શાખા વધારે ભાગ્યશાલી છે, તેઓ પોતાનો ગ્રાસ હજી સુધી રાખી રહ્યા છે. તેના બે મુખ્ય વિભાગ થયા છે, એક સાણંદને (કઠને પણ કહેવાય છે) અને બીજે ગાંગડને.' ૧ વાઘેલા સંબંધી માટે લોકોએ આપેલા વૃત્તાન્ત ઘણે ગુંચવણભર્યો થઈ ગયો છે. એટલે તે હવે બરાબર કરવો અશકય છે. એક વૃત્તાન્તમાં, કલા અને સાણંદને પ્રથમ ગ્રાસ કર્ણ વાઘેલાના કુંવરને મળ્યો હતો એમ લખે છે, અને તેઓની માનાં નામ સુદ્ધાંત આપે છે. તે વૃત્તાન્ત નીચે પ્રમાણે છે – કણના કુંવર, સારંગ અને વરસંગ બને એક જ વેળાએ જન્મ્યા હતા. અને તેથી તે બને પાટવી હતા. સારંગની માનું નામ તાજકુંવરીઝ હતું અને તે જેસલમેરના ગજસંઘજી ભાટીની કુંવરી થતી હતી; વરસંગની મા અમર કુંવરબા “ કરીને હતી, તે કેરાકોટના દેસલજી જાડેજાની કુંવરી થતી હતી વરસંગને તેના બાપની વેળામાં સરધાર જિલ્લો અને તેનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. સારંગને “તે જ પ્રમાણે ભીલડી જિલ્લાનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. ભીલડીમાં એકઠા મળીને મુસલમાન પાસેથી કરી લીધી. પણ બેગમને ગાદી ઉપર રહેવા દઈને બાંહેધરી “લીધા વિના, પાટણ જઈને પાદશાહને મળ્યા. પાદશાહ રાજી થયો ને તેમને ૫૦૦ “ગામ આપ્યાં. સારંગદેવે કલોલ ને ૨૫૦ ગામ લીધાં ને વરસંગે સાણંદ ને તેટલાં જ “ગામ રાખ્યાં.” (+મૂળ વાત એમ પણ છે કે, “કડી પરગણું હાથ કરીને કેટલીક બેગમોને કેદ કરી, અને બહધરી આપી, ત્યારે દીકહી જઈને અલાઉદીનને મળ્યા એટલે તેઓને તેણે રાજી થઈને ૫૦૦ ગામ આપ્યાં) ૨. ઉ. અડાલજવાવમાંની લેખ છે તેમાં નીચે પ્રમાણે પઢિયે લખેલી છે – ૧ મેલસિંહ; ૨ કર્ણ ૩ મૂળરાજ; ૪ મહીપ, તેના વીરસિહ અને અજીતસિંહ બે પુત્ર હતા તેમાં વીરસિંહ એ રૂડી રાણીને વર થાય; ભાટ લોકોએ જેને વિષે વાત કહી છે તે આ વરસે અને જેતે બને ભાઈ હશે એમાં કશે કે નહિ. માણસાની વાવમાં એક બીજો લેખ છે, તેમાં નીચે પ્રમાણે પઢિયો છે-૧ સવરાજ, ૨ વિજયાદ, ૩ વેલે, ૪ ધવલ, પ વાંકે, ૬ ચમક. તે સારંગદેવજીના દીકરા લુણકાની દીકરી ચંપાદેવી સાથે પરણ્યો હતો, તેને એક ધારા કરીને દીકરે થયો હતો તેણે ઇ. સ. ૧૫૨૬ માં વાવ બંધાવી હતી. કલની પાસે એગાણુજમાં વાઘેલાની આ શાખા રહી હતી. કર્ણ વાઘેલાને કુંવર હતા નહિ, એ આપણે પાછળ જોઈ ગયા છિયે, તેમ જ જેસલમેરના ભરી ગજગજી તથા કચ્છના કેરાકોટના જાડેજા દેસલજીની કુંવરી વિષે લખ્યું છે તે પણ ગળત છે; કેમકે આ સમયે તે બંને સ્થાને તે નામના રાન થયેલા હતા જ નહિ. તે સમયે જેસલમેરની ગાદિયે ભટી રાવલ ચીચદેવને પોત્ર કરણું ઈ. સ. ૧૨૫૧ થી ૧૨૭૯ સુધી હતા. પછી રાવલ લખુધસેન ઈ. સ. ૧૨૭૯ થી ૧૨૮૩ સુધી હ. પછી તેને કુંવર પંપળ ઈ. સ. ૧૨૮૩ થી ૧૨૮૫ સુધી થયો તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy