SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ અહંમદ શાહ પહેલ-મોલે સલામ ૪૫૧ ૪૫૧ મુડદાં સદા દાટવામાં આવે છે, બાળવામાં આવતાં નથી. તેઓની સ્ત્રિયો પણ હિન્દુને પોશાક પહેરે છે. બીજા હિન્દુઓ તેમને મુસલમાનમાં ગણે છે; પણ પ્રથમ જેઓ જે વંશના હતા તે વંશનું નામ રાખી રહ્યા છે; અને તેઓને વહીવંચા ભાટ છે તે તેમનાં પેઢીનામાં વાંચે છે. પરણતી વેળાએ તેઓ અગ્નિની ક્રિયા કરતા નથી પણ કલમો પઢે છે. વળી ગણેશપૂજા તે તેઓ રાખી રહ્યા છે. તેમ જ બીજી કેટલીક હિન્દુઓની ક્રિયાઓ તેમનામાં છે. કેટલાક રજપૂત જે માલ વિનાના હતા તે બચ્યા ને વટલ્યા નહિ તેઓ કારડિયા કહેવાયા; અને બીજા જે શરણ થઈ શકે નહિ એવા બળવાન હતા તેઓએ કર ભર્યો એટલે રાજા રહ્યા અને હજી સુધી જીનું પદ તેમના નામને લગાડવામાં આવે છે. કેટલાક ગરીબ રજપૂત નરવા (નિર્વાહ) છોડીને ખેતી કરવાની પરવાનગી મેળવીને બચ્યા તે નાડોદા કહેવાયા; તેમ જ એ જ સમયે વાણિયા અને બ્રાહ્મણને વટલાવવામાં આવ્યા તે વોહરાની જાતિમાં ભળી ગયા.' ૧ “પણ આ જિલ્લામાં (ભરૂચ) મુસલમાનની એક જાતિ છે તે ખેતીનું કામ કરે છે. તેઓ હરા કહેવાય છે; તથાપિ જે વ્યાપારી હોરા છે તે કરતાં તેઓ કેવળ જૂદી જ જાતિના છે. તેઓ કોઈ કોઈ વાર ગાડતું કરે છે. તે પણ તેમને “મુખ્ય ધંધે અને ઉદ્યોગ ખેતીવાડીને છે. તેઓ ઘણા ચંચળ, ઉદ્યોગ અને આખા “જિલ્લામાં કુશળ ખેડુત ગણાય છે, તેમને પાષાક, રીતભાત, અને ભાષા એ સર્વે કણબી અને બીજા હિન્દુ ખેડુતેના જેવાં છે; તેઓ બેશક મૂળમાં છે હિન્દુ જ “હતા. તેમાંના ઘણા ખરાના પૂર્વજ કેળી અને રાજપૂત હતા અને થોડાકના પૂર્વજ “કણબી હતા. તેઓ એવું કહે છે કે ગુજરાતના મુસલમાન રાજ્યકર્તા સુલતાન “મહમૂદ બેગડાના વારામાં અમને વટલાવામાં આવ્યા હશે. આ વેહેરાઓ ગુજરાતી ભાષા બોલે છે, અને મુસલમાન ખેડુત જે મલેક, ખાન ઇત્યાદિ કહેવાય છે તેમની પેઠે હિન્દુસ્તાની બોલી બોલતા નથી. ખેતી કરનારા બધાય હોરા સૂની છે.” ભરૂચ જિલ્લા વિષે કર્નલ વિલિયમની યાદ પૃષ્ઠ ૯૧. એશિયાટિક સોસાયટી(બંગાળ)ના જર્નલના પુસ્તક ૬ઠ્ઠાના પૃષ્ઠ ૮૪૨ મે કાનેલિયે (Cannoly) ઉજજણ વિષે વિષય લખ્યો છે તે ઉપરથી નીચે લખેલ વહોરાઓની ઉત્પત્તિ વિષેને વૃત્તાન ઉતારી લીધો છે – ચાકુબ કરીને એક માણસને પોતાના ઘરના અથવા પક્ષના કજિયાને લીધે “પિતાને દેશ તજવો પડયો. તે ઈજિપ્ત છોડીને હિ. સ ૫૩૨(ઇ. સ. ૧૧૩૭)માં ખંભાતમાં ઉતર. હિન્દુસ્થાનમાં પ્રથમ પગ મૂકનાર એના ધર્મના લોકોમાં એ પહેલો જ હતો. તે સમયે તે ધર્મને મુખ્ય મૂલ્લ (જે કેટલાંક વર્ષથી ઈમનમાં વયે “હ) હરિબિન મુસા કરીને હતે. ઈજિપ્તમાં ખલિફ મેરતમસિર બિલાહ અમલ “કરતે હતા, અને સદારાસિંગ હિન્દુઓના પિરાનપટ્ટણ ઉપર રાજ્ય ચલાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy