SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બલવો-અન્યાયી રાજાનું રાજ્ય જાય છે ૩૧ વિષે તથા તેની વિરુદ્ધ લાડ એલેજોએ લખેલ લેખ, એ ઉભય લેખે વિષે વિચાર આપતાં ફાર્બસ લખે છે કે-“ઇંગ્લંડમાં આ સમયે પૂર્વપક્ષ (conservative) અને ઉત્તરપક્ષ(Liberal)માં વાક્યુદ્ધ મચ્યું છે. અમે ત્યાં સમીપ હત, તે આનંદથી પોકારત કે-“જય સ્ટાબ્લી.” પરંતુ દૂરથી તે લાભ લઈ શકતા નથી, પણ અમને પૂર્ણ વિશ્વાસ છે કે એમાંથી આ ભરતખંડનું કલ્યાણ થાય એવું પરિણામ થશે; પછી જય ગમે તે પક્ષને થાઓ, તે સાથે અમારે સંબંધ નથી. આવા વિલક્ષણ સમયમાં લાર્ડ કાસિંગે જે ગંભીરમહત્તા દર્શાવી નિરપરાધી દેશીએના ઉપર કૃપાળુ દૃષ્ટિથી જેમાં કર્યું છે, તે સારૂ અમે લાર્સ કાર્નિગની સ્તુતિ કરીએ છીએ. પરંતુ અમેધ્યાના સંબંધમાં એની રાજનીતિ ઉપર અમને ખેદ થાય The ground upon which the British Government proceeded in at length annexing the kingdom of Oade was that of humanity, it felt in 1855, though not in 1801, that "it would be guilty in the sight of God and man if it were any longer to aid in sustaining by its countenance and power a system fraught with suffering to millions," and its anxiety was to deliver itself from the reproach which the people of Dado may jastly cast upon it” Page 189. 1 x x x x x x * લાર્ડ કાર્નિંગના એ રાજ્યલેખ વિષે ફાર્બસના અને તે સમયે સર્વના સમજ્યામાં આવ્યું હતું તે યથાર્થ ન હતું. લાર્ડ કેનિંગે એ વિષે એક ઉત્તરલેખ (Defence) લખે છે, તેમાં પોતાના વિચાર સ્પષ્ટ જણાવી સિદ્ધ કર્યું છે કે, એને શુભ હેત યથાર્થ ન સમજી અર્થનો અનર્થ કરવામાં આવ્યું હતું. તે ઉત્તરલેખ કર્બસના વાંચવામાં આવેલ નહિ, તેથી કુલીન કાનિંગના ઉપર અગમ દષ અનિચ્છાથી ફાર્બસે મૂવો પડ્યો હોય એવું લાગે છે. સર્વ આર્યપ્રિય કાનિંગ જેવા નિષ્કલંક, ઉદાર, વિદ્વાન, રાજયધર્મજ્ઞ, નિષ્પક્ષપાતી, દીનના નાથ અને સંક્ષેપમાં મહાત્મા, વિરલ જ રાજપ્રતિપુરુષો (Vice-roy ) થયા હશે તે થશે. લોર્ડ ડેલહાઉસી જેવા સ્વછંદી, સ્વાથી અને રાજા પ્રજા વચ્ચે અંતર પાડનાર ગવર્નર જનરલે વિનાશકારક સુરંગ ખોદેલી, તેમાં જામગરી મૂકાવાના સંધિ જેવા વિષમ અને વિકટ કાલમાં રાજ્યના અનેક સંકળાયેલા રથના મુખ્ય યંત્રની લગામ અમર લાર્ડ. કાર્નિંગને સ્વાધીન કરવામાં આવી. મહાત્માનાં અંતઃકરણ અને બુદ્ધિ કસવાની ખરી કસેટી એવા વિષમ અને અસાધારણ સૂમ સમય છે. ખરૂં હીર તે સમયે જણાય છે. શુદ્ધ કાંચનની પેઠે સર્વ પ્રકારથી તેની પરીક્ષા થાય એવા સંગે આવી મલ્યા હતા. તેમાંથી વિજય પામી અધિક મૂલ્યવાન થઈ નિર્મલ કુંદન જે તે લાર્ડ કનિંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy