SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ રાસમાળા મેગલ સરદારે હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરી તેને મહંમદ તુધલુખે લગભગ આખા રાજ્યના મૂલ જેટલી લાંચ આપીને પાછા હાક્યો તે પણ તેણે ગૂજરાત અને સિંધને રસ્તે જતાં બંને દેશ લૂંટવા અને ધણા લેાકેાને પકડી ગયા. વીસ વર્ષ પછી મલેક મુકબિલ જે ગુજરાતની બાગીરિયે ઠરેલા જણાય છે તેને અને અમીર જીડીદા અથવા મોગલ લેાહીના સરદારેાને અણુખનાવ થયા, તે ઉપરથી તે તેમનાથી ડરી ગયા, અને સરકારી ખજાનાનું રક્ષણ કરવા સારૂ સરકારી તખેલા માંહેથી ઘેાડા એકઠા કરીને તે ઉપર ખજાને લાદી દ્વિહી ભણી ચાલ્યેા; તેને વડેાદરા અને ડભાઈ ને રસ્તે જતાં અમિરે એ લૂંટી લઈને અહિલવાડ ભણી નાશી જવાની જરૂર પાડી. આ ફાન થયાના સમાચાર સાંભળવામાં આવતાં પાદશાહ ગૂજરાત ભણી જાતે નીકળી ચાલવાને તૈયાર થયા; પણ માળવાના સૂબેદાર અયીઝે કહ્યું કે હું અગાડી જઈ તે ખંડ એસારી દઉં છું, તે ઉપરથી તેને આગળ જવા દીધા. તે તે પ્રમાણે ગુજરાતમાં પેઠે પણ અમીરેાએ તેને પરાભવ કરીને તેને ઠાર કડ્યો, તે સમાચાર બાદશાહે જાણ્યા એટલે પાતે ચહુડી આવ્યા. મહંમદ તુઘલુખ આખુ ગઢને ડુંગરે આવી હેાંચ્યા, એટલે પેાતાના સરદારામાંથી એકને અમીરાની ઉપર મેાકલ્યે. દેવી (ડીસા?) ગામની પાસે એક લડાઈ થઈ અને આડખેારાની પૂરેપૂરી હાર થઈ. પાદશાહ પછી ધીરેધીરે ભરૂચ ભણી ચાલ્યેા; નર્મદાના કાંઠા ઉપર એક ખીજી લડાઈ થઈ તેમાં પણ પાદશાહની ફેાજની જિત થઈ,——આ કેજે પછીથી ખંભાત અને સુરત શહેર લૂંટયાં. મહંમદ તુધલુખ પછી દેવગઢ ઉપર ચડાઈ કરવાને ચાલ્યેા. તેનું ઢોલતાબાદ નામ આપીને દ્વિલ્હીથી રાજધાની ઉઠાવીને ત્યાં કરવા સારૂ તેણે ઘેલાઈ ઠ્ઠાડીને બે વાર પ્રયત્ના કહ્યા. આ શહરને ધેરા ધાલીને પડ્યો હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે ગુજરાતના અમીર જીડીદાની સાથે ધણા હિન્દુ જમીનદારા મળી ગયા છે, અને તેણે અણહિલવાડ કબજે લીધું છે એટલું જ નહિ, પણ સરકારી અધિકારીને મારી નાંખ્યા છે; સુખાને કૈદ કરયા છે; અને ખંભાત લૂંટીને ભરૂચને ઘેરા ધાલવાના કામમાં ગુંથાયા છે. માદશાહ દૌલતાબાદ છેાડીને ભરૂચ ભણી ચાલ્યેા. એટલે ખંડખેાર લેાકા ખંભાત જતા રહ્યા તેમની પછવાડે પાદશાહે જે સરદારા મેકલ્યા હતા તેમની સામે તેઓએ ટકાવ કરા ܬ ૧ મહંમદ તુઘલુખના સમયમાં તુમૈશઝીન ખાનના જમાઈ મલિક ને રોસ સાથે મેગલ અમીરા આવ્યા હતા અને તેના રાજ્યમાં નેકર રહ્યા હતા તેમાં જે ૧,૦૦૦ માણસને અમીર હતા તે અમીરે સદા અથવા તુર્કીમાં યુજખાસી કહેવાતા અને જે ૧૦૦ માણસના અમીર હતેા તે અમીરે હારા ફહેવાતા. આવા અમીર ઘણા હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy