SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલાકન ૩૫૭ પૂરા મરે” આવે ઠેકાણે; અથવા જ્યાં વ્યાપારને લીધે ઘણા અવરજવર થાય છે તે જગ્યા—શહરાના દરવાજા પાસેની અથવા ત્રિવટાને ઠેકાણે. વળી તે ધર્મનાં કામ ગણાય છે; કેમકે કહ્યું છે કે “નગરના કિલ્લા ચણાવ્યાના “પુણ્ય કરતાં પાણીની જગ્યા બંધાવ્યાનું પુણ્ય દસ હજાર ઘણું વધારે છે.” તે કૃષ્ણાર્પણુ કરવામાં આવે છે; જે દુર્ગા કુંડલિની ક્હેવાય છે, અને જેના “આકાર કૂવાના જેવા છે” તેને અર્પણ કરવામાં આવે છે. અથવા પાણીના દૈવ વણુ જે પુણ્યકર્મના સાક્ષીભૂત છે”ર તેને અર્પણ કરવામાં આવે છે. વળી ખીજા આધાર પ્રમાણે, તે બંધાવ્યેથી એકસા ને એક પૂર્વજ નર્ક“માંથી તરે છે, વંશપરંપરા કીર્ત્તિની વૃદ્ધિ થાય છે; દીકરા અને દીકરાના દીકરાની વૃદ્ધિ થાય છે; અને સૂર્યચંદ્ર તપે ત્યાંસુધી સ્વર્ગ ભેગવાય છે.” વાવ છે તે કુંડની પેઠે સર્વત્ર નહિ તે બહુ કરીને દેવાલયને લગતી કરવામાં ૧ મૂળાધારની ઉપર અને નાભીની નીચે કુંડલિની નામની ગુંછળું વળેલી શક્તિ છે તેની અધિષ્ઠાત્રી દેવી દુર્ગો છે. ૨ વરૂણને આવું પદ આપવાનું કારણ એવું છે કે, નદીકિનારે અથવા તલાવને કે ખીજા પાણીને આરે પુણ્ય કરવામાં આવે છે અને ધર્મની ક્રિયાએ ત્યાં થાય છે. ચુલુક અથવા કાલની ક્રિયા કરતાં, માણસ હથેલીમાં પાણી લઈને મૂકે છે તે દાનના નિશ્ચયકરણની નિશાની છે. ૩ જળાશય બનાવવાનું પુણ્ય ઘણું છે. વૃત્તત્ત્તવોત, પૂર્વમંજાર આદિ ગ્રન્થામાં તેના મહિમા વળ્યા છે. ગત્ઝોલોમયૂલ કહે છે કે:विष्णुधर्मोत्तरे - उदकेन विना तृप्तिर्नास्ति लोकद्वये सदा ॥ तस्माजलाशयाः कार्याः पुरुषेण विपश्चिता ॥ यमः - कूपारामप्रपाकारी तथा वृक्षावरोपकः ॥ कन्याप्रदः सेतुकारी स्वर्ग प्राप्नोत्यसंशयम् ॥ तडागे यस्य पानीयं सततं खलु तिष्ठति ॥ स्वर्गे लोके गतिस्तस्य नात्र कार्या विचारणा ॥ नन्दिपुराणे - यो वापीमथवा कूपं देशे तोयविवर्जिते ॥ खानयेत्स नरो याति स्वर्ग प्रेत्य शतं समाः ॥ विष्णु:-कूपारामतडागेषु देवतायतनेषु च ॥ = पुनः संस्कारकर्त्ता च लभते मौलिकं फलम् ॥ भविष्योत्तरे - सर्वस्वेनापि कौन्तेय भूमिष्ठमुदकं कुरु ॥ कुलानि तारयेत्कर्त्ता यत्र गौर्वितृषा भवेत् ॥ अतः शुभागतं द्रव्यं तडागादिषु योजयेत् ॥ धन्यः पन्था विज्ञेयस्तडागं वृक्षमण्डितम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨. ઉ. www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy