SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ રાસમાળા બાજુના મધ્ય ભાગમાં કરેલાં છે. કુંડની આસપાસ બીજી ઈમારતની નિશાનિ જોવામાં આવે છે; પણ તે કેવા પ્રકારની બાંધણીની હશે તેને નિર્ણય થવા સરખું હાલમાં કશું ચિહ રહ્યું નથી. દેવાલયને ને કારમંડપ છે તે સીતાની ચોરી કહેવાય છે, અને કુંડ તે રામકુંડ કહેવાય છે, તે વૈષ્ણવી સાધુઓનું પ્રસિદ્ધ યાત્રાસ્થાન છે. વાઘેલમાં એક દેવાલય છે તે, ઉપર જે દેવાલયેનું વર્ણન કરવામાં આવ્યું તેવી જ જાતિનું છે; પણ તેમના કરતાં તે કદમાં નાનું છેતેને એક માળના જેટલી ઊંચાઈને એક જ ખુલે મંડપ છે, તેના ઉપર ઘુંમટ છે, ત્રણ દ્વારમંડપ છે, અને એક શિખરવાળે સંભાર છે. મેરાના જેવા કે, સીહેર અને બીજી જગ્યાએ જોવામાં આવે છે. તેઓ ઘણું કરીને રામકુંડની પેઠે દેવાલયના સંબંધમાં કરાવેલા હશે; પણ તે દેવાલને ઘણે ઠેકાણે નાશ થયેલો છે. મોઢેરાની પાસે લેધેશ્વર છે. ત્યાં આગળ એક ચમત્કારિક ચાર કુંડનો સગ કર્યો છે. તેઓની વચ્ચે ગોળ કૂવે આવ્યું છે તેથી “ગ્રીક સ”ના જેવો આકાર થાય છે. તલાવ અથવા કુંડને આકાર ઘણે ખરે બહુ બાજુને અથવા બિલકુલ ગોળાકાર હોય છે, તે પ્રમાણે ઝિંઝુવાડાના કુંડનો દાખલો આપણું જોવામાં આવ્યું. એવા જ કુંડ, મુંજપુર, સાયલા, અને બીજી ઘણુ જગ્યાએ છે; તેમાંના કેટલાએકના વ્યાસ લગભગ સાતસે વારના છે. અણહિલપુર આગળ સહસ્ત્રલિંગ તલાવ છે તે ઘણું કરીને આ જ વર્ગનું છે, અને આજે તેની નિશાનિ જણાય છે, તે ઉપરથી તે બહુ જ મહેટા ઘેરાવાનું હશે એમ ધારી શકાય છે. તેની આસપાસ નેહાના ન્હાનાં દેરાં હતાં, અને તેની સંખ્યા લગભગ એક હજારની હતી. ગાવા આગળ દ્વીપકલ્પમાં એક સમરસ તલાવની નિશાનિયે છે તે સિદ્ધરાજનું બનાવેલું કહેવાય છે તેનું નામ “સેનેરિયા તલાવ કરીને છે. જયસિંહની મા મયણલદેવીના કારભારની વેળાએ બે નામીચા તલાવ બંધાવેલાં ગણવામાં આવેલાં છે. એ સમયમાં શોભાયમાન ઈમારતે બહુ બંધાઈ છે. ધોળકાનું મલાવ અને વીરમગામનું માનસર એ બે તલાવ તે માંહેલાં છે, તેમાંથી માનસર વર્ણવા ગ્યા છે. તેને આકાર અનિયમિત છે, અને તે હિન્દુઓનું રણ ૧ બરેલીના દેવલના આગળના ભાગમાં એક ઈલાય દ્વારમા૫ છે. ફરગ્યુસનકૃત “હાન્ડ બુક ઓફ આર્કિટેકચર”ના પ્રથમ ભાગનું પૃષ્ઠ ૧૧૨, અને “રાજસ્થાન” ના બીન પુસ્તકના પાક ૭૧૨ મા પ્રમાણે-આલીને હારમંડપ છે તે પણ લગ્નમંડપ છે, અને દંતકથા એવી ચાલે છે કે તે હૂણના કુંવરની ૨જપૂતણ વધુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy