SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા સાંજ પડવા આવી; પછી જ્યાં તેએ ઊભા હતા ત્યાં જ આગળ તૈયુ ખડા કરાવ્યા; સર્વે જમ્યાં ને કાઈ પાસે ને કાઈ જરા આધે એ પ્રમાણે સૂતા. યમાશ તરવાર બાંધીને રાજાની પાસે સૂતા. અને જેમ ચિત્ત, મેહુ પમાડનાર સંભ્રમને વશ થઈ જાય છે તેમ સર્વે ઊંધને વશ થઈ ગયા. કન્હ પણ રાજાની પાસે જ હતા; આમ્રુતિ જેત અને સલખ; પુંડીર અને દાહીમ; ચામુંડ; હમીર; શૂરવીર કુરંભ, સારંગ, પાહાડ તુંવાર; લેાહાણા; લંગરી રાજા સર્વે ત્યાં હતા. જ્યારે એક પ્રહર રાત્રિ બાકી રહી ત્યારે શિકાર ૩રર પછવાડે લાગવાને તેઓએ નિશ્ચય કસ્યો. સામંતેનાં મન ખાટાં થયાં; તે કહેવા લાગ્યા કે કાઈ જીવતું પ્રાણી અહિં જણાતું નથી તેથી આપણું કામ સરાડે ચડશે નહિ. આવું ખેલતાં વાંત જ એક જનાવરના શબ્દ સંભળાયા. ત્યારે કહ્યું ખાયેા:–સાંભળેા હવે પછી જે નીપજવાનું છે તે વિષે આ “પ્રાણિયા અગમ સૂચના કરે છે. કાલે સવારે મહાભારત યુદ્ધ થશે.” સર્વે સામંતા આશ્ચર્ય પામીને હેવા લાગ્યાઃ સવારમાં તે યુદ્ધ ક્યાંથી થશે ?” કહ્ન ખેલ્યે: “ સામેશ્વરનું મરણુ થતાં પેહેલાં જેવાં ચિહ્ન થયાં હતાં તેવાં જ “ચિહ્ન ભીમ સંબંધી થાય છે. . માટે જો રાજા આ “યુદ્ધ મચાવે તે યમદૂત પણ એના સામા થઈ શકે શત્રુનને લાભ લઇને આ પ્રમાણે વાતા કરતાં સૂર્યોદય થયે, યાદ્દાએએ નારાયણને નમસ્કાર કચા; અને જેમ કમળ પ્રફુલ્લિત થાય છે તેમ સૂર્યને જોઇને તેએનાં મન પ્રજ્જુલ્લિત થયાં. આ વેળાએ એક બીજા શકુન થયા ને ત્યાર પછી તરત જ ત્રીજા થયા. તે ઉપરથી સામંતે હેવા લાગ્યા કે આજે નક્કી એક પ્રહરની માંહ ભયંકર યુદ્ધ થશે. પૃથ્વીરાજ હેઃ “શકુન જોવાની અગત્ય નથી. શૂરવીરને લડાઇને દિવસ એ ઉત્સવના દિવસ છે. માણસ જીવતું હેાય કે મુવેલું હાય પશુ “તેના આત્મા આપણા જેવામાં આવતા નથી. કીર્ત્તિ પણ આવે છે તે “જાય છે, એવી દૈવની કૃતિ છે. જે હારશે તે દુર્યોધનનું પદ પામશે, અને “જે જિતશે તે પાંડવનું પદ પામશે; માટે શકુનના વિચાર કરશે। મા. આપણે “સાયના એક અગ્ર જેટલી જગ્યા છેાડવાના નથી. આપણે ભારતના જેવું ‘યુદ્ધ મચાવીશું. શકુનનેા કાંઈ પાર નથી તેએ થાય છે ને જાય છે. માટે “આપણે તે આગળ ધપા.” "" નહિ.” રાજાની આજ્ઞા ઉપરથી સામંતાએ યુદ્ધના પાકાર અહિં તહું ઉઠાવી મૂક્યા. તેમાં ભેરી નાખતા, રણશિંગાંના યુદ્ધમય અવાજ, વાદિત્ર અને ખીજાંના નાદ થવા લાગ્યા; ઘૂંટ અને હાથીની ડેાકની સાંકળેાના ખણખણાટ થવા લાગ્યા; ઘેાડા ખોંખારવા લાગ્યા; અને સર્વે સેના ઉપડી. મુકામે મુકામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy