SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ રાસમાળા તેણે જાણ્યું કે હવે મેાત પાસે આવ્યું તેથી યમના તેડાની ખબર પડે એટલા માટે સંથારે લીધેા (અન્ન જળ તજ્યું) ત્યારે રાજાએ અત્યંત ખેદ બતાવ્યા. તે ઉપરથી હેમચંદ્રે કહ્યું: “હવે તમારા આવરદા છ મહિનાને “બાકી રહેલા છે; તમારે કુંવર છે નહિ; માટે તમે પણ કૃતાર્થ કરે.” આ ત્રિશુલ મારી અંતર્ગત થઈ ગયાં. પણ દ્રશ્ય ઘાથી રાનનું આખું શરીર લુતાગ્રસ્ત થઈ ગયું–કાડિયું થયું. સવાર થતાં રાજાએ પેાતાના અમાત્ય વાગ્ભટને ખેાલાવીને માતાના કાષના સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા. તેણે આત્મરક્ષણ કરવાનું વિસ્તારથી વિવેચન કરી સંભળાવી કહ્યું કે, ગમે તે પ્રકારે આત્મરક્ષા કરવી માટે તે થતી હોય તે દેવિયાને પશુ અર્પણ કરવાં. કુમારપાળે કહ્યું કે મેં દયામય ધર્મનું નિર્માણ કહ્યું છે, હવે મને કરાની ન્યૂનતા રહી નથી તા હવે હું પાપકર્મ કરનારો નથી. અને એવું કર્મ ન કહ્યું તેથી હું તારેગગ્રસ્ત થયા એ વાત મને રૂચતી નથી. તેથી હું તો સવાર થતાં વ્હેલાં ખળી મરીશ. માટે ચંદનની ચિતા તૈયાર કરાવે. વાગ્ભટે વિનતિ કરી કે આ વાત આપણે હેમાચાર્યને જાવવી અને તે શી સલાહ આપે છે તે જોવું એકાએક સાહસ કરવું નહિ. હેમચંદ્રે પાણી મંત્રીને આપ્યું તે શરીરે ચેપડ્યું તથા થાડું પીધું તેથી વૃંતારેગ એકદમ મટી ગયા અને આગળના જેવું દેદીપ્યમાન શરીર થઈ ગયું. કુમારપાળ પ્રબંધમાં બીજે સ્થલે એમ છે કે, એક વાર કુમારપાળ પેાતાના પલંગમાં પેઢયો હતા તેવામાં તેને શ્યામ અંગ અને ક્રૂર રૂપ ધારણ કરેલું એવી એક દેવી પ્રત્યક્ષ થઈ અને હેવા લાગી: “હું ભૂતારેાગની અધિષ્ઠાત્રી દેવી છું અને તારા વંશમાં “પૂર્વે થયેલા સાપને લીધે તારા અંગમાં પ્રવેશ કરવા આવી છું.” આટલું ખેલી તે અદૃશ્ય થઈ ગઈ અને રાજાને મહાવ્યથા થવા લાગી, તથા તેને મયડે રાઈના કણ જેવડી એક ફાલી થઈ તેના ઘણા ઉપાય કયા પણ શાન્તિ થઈ નહિ, એટલે હેમચંદ્ર મેલ્યા કે આ રેગમાં મંત્ર અને ઔષધિના પ્રભાવ ચાલે એમ નથી. भावो भावी भवत्येव, नान्यथा सोऽमरेरपि । पूर्वं कामलदेव्या यच्छापितो मूलभूपतिः જે ભાવાભાવ હાય છે તે બન્યાં જાય છે, દેવતાને પણુ અન્યથા થતાં નથી; પૂર્વે કામલ દેવીએ મૂળરાજને શાપ દીધા હતા તેના આ વિપાક છે. પણ એના નિવારણના એક ઉપાય છે તે એ કે, ખીજાને રાજ્ય આપવામાં આવે તે રાજ્યને કુશળ થાય, માટે (તતોડસ્મામૈવ રાજ્યમન્તુ.) ભલે મને જ રાજ્યની પ્રાપ્તિ થાઓ; કેમકે જગમાં અભયદાન જેવું ખીજું એકે નથી એમ કહી, श्री गुरुः सर्वसंमतेन राज्ये स्वयमुपविष्टः तत्क्षणमेव राज्ञो व्यथा सूरिशरीरे संक्रांता ॥ શ્રી હેમાચાર્યે (ગુરૂ) સર્વેની સંમતિથી રાજ્યાસન ઉપર બેઠા અને તે જ ક્ષણે રાજાની વ્યથા સુરીના શરીરમાં પ્રવેશ થઈ. રાજ્યને આ જોઈને ઘણા ખેદ થયા. પણ કહે છે કે “સૂરિએ એક પાકું હેાળું મંગાવી તેમાં પ્રવેશ કરીને લૂતાને ત્યાં મૂકી દીધી અને ફહેાળાને હવડ કૂવામાં નાંખી દેવરાવ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy