SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ રાસમાળા ૧ તેને સાખાશી આપી, તે પણ તેણે ચડાઇમાં અતિશય ખર્ચ કલ્યો હતેા એટલા માટે તેને ઠપકા દીધા. દિલ્હીમાં “ફ઼િાજશાહની લાટ” એવે નામે એક મિનારા છે. તે ઉપરના લેખમાં એક લેખ ઉપર સન ૧૧૪૬ ની સાલ છે, તેમાં તે વેળાએ શાકંભરીમાં વિગ્રહરાજ રાજ્ય કરતા હતા એવું લખેલું છે. અને આ મિનારા ઉપર ખીજું એક વિસલદેવ નામ જોવામાં આવે છે; અને ભાષાન્તરકર્તાઓને શક રહે છે કે, વિગ્રહરાજ અને વિસલદેવ એ તે એક જ જણુનું નામ હશે કે જૂદા જૂદા રાજાઓનાં હશે. પણ આ વિષે ખીજી વધારે ખાતમી મેળવ્યા વિના માત્ર લેખના અર્થે ઉપરથી નિર્ણય થઈ શકે એમ છે નહિ. વિસલદેવ ચાહાણના ક્રમાનુયાયીનાં નામ ચંદ બારૈાટે આપ્યાં છે, તેમાંથી કાઈ પણ નામ ખાતરી થાય એવી રીતે, લેખ ઉપરના નામ સાથે સરખાવી શકાય એમ નથી. આન્ન જે વિસલદેવને પાત્ર થાય તેને તે આપણે કુમારપાળની સામે થયેલા જોયે, અને આ ઠેકાણે જે રાજા વિષે લખવામાં આવ્યું છે તે ગમે તેા વિસલદેવના પુત્ર જયસિંહદેવ હાય અથવા તે નહિ તે તેને પૈાત્ર આને અથવા આનંદદેવ હાય. આ બંને નામ, તેમ જ વિગ્રહરાજ એ નામ પણ અર્થસૂચક છે, અને તેથી માત્ર ઉપમાનાં જ નામ હશે.ર પ્રબંધાચંતામણિમાં એક વાત લખેલી છે, તે ઉપર જણાવેલા ફ઼િાજશાહની લાટ ઉપરના લેખના સંશયભરેલા વિવાદવિષયની તકરારને આશ્ચર્યકારક રીતે ખુલાસા કરી આપે છે. ગ્રંથકર્તા કહે છે કે, એક બીજી વેળાએ સપાદલક્ષ દેશના રાજા ભણીથી તેને પ્રતિનિધિ કુમારપાળની દરબારમાં આવ્યા. ત્યારે સામ્ભરના રાજાની કુશળતાના સમાચાર રાજાએ પૂછ્યા, તેના ઉત્તરમાં પ્રતિનિધિએ કહ્યું: “ એમનું નામ વિશ્વલ ( વિશ્વના ધારણ કરનાર) છે, તા પછી તે નિરંતર કુશળ હાય એમાં શે। શક?” આ વેળાએ કુમારપાળના માનીતા અને ધણા વિદ્યાવંત કવિ કપર્દી મંત્રી પાસે ઉભું હતા તે ખાયેા.—“ શક્ અથવા વસ્ ધાતુના અર્થ એવા થાય છે કે સત્વર જનાર. એ ઉપરથી વિશ્વલ, એટલે જે ( વિ ) પક્ષીની પેઠે સત્વર ઉડી જાય છે “અથવા નાશી જાય છે તે.” પછીથી પ્રતિનિધિએ ધેર જઈ ને પેાતાના રાજાના નામનું અપમાન કર્યું તે સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યેા. તે ઉપરથી રાજાએ વિદ્યાનાને પૂછીને વિગ્રહરાજ ” એવું નામ ધારણ કર્યું. ખીજે વર્ષે તેને તે જ પ્રતિનિધિ વિગ્રહરાજની ભણીથી કુમારપાળના દરબારમાં આવ્યા ત્યારે "6 t " ૧ એશિયાટિક રિસર્ચીઝ પુસ્તક ૭ મું. પૃ. ૧૮૦ ૨ જયસિંહ એટલે “ ફતેહમંદ સિહ.” આનંદ એટલે ખુશી. વિગ્રહ=ડાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy