SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ રાસમાળા નિકાવિહાર બાંધવાનું કામ આઝભટે પિતાને માથે લીધું; તેમાં નર્મદા નદી જે શહેરના કિલ્લાની ભીંતની સજડ વહે છે તેના એચિતા પૂરને લીધે કેટલીક વાર સુધી અડચણ વેઠવી પડી; તથાપિ પૂર્ણ રીતે તે કામમાં તે જય પામ્યો. એ જ વેળાએ, રાજાએ ખંભાતમાં જ્યાં આગળ તે પ્રથમ ઉદયન મહેતાને અને હેમાચાર્યને મળ્યો હતો તે અપાસરાની જગ્યાએ એક નવું ચૈત્ય બંધાવ્યું. કુમારપાળના રાજ્યમાં છેલી ચડાઈ તેણે સપાદલક્ષ દેશ ઉપર કરેલી જણાય છે. આપણું જોવામાં આવ્યું કે, ઉદયનને પુત્ર વાહડ કે દિવસલાખ દામ ખર્ચા, એવું વૃદ્ધ પુરૂષનું કહેવું છે, પણ રૂતુંગ એક કરોડ સાઠ લાખ દામ બેઠા હતા એમ કહે છે. પછી હેમાચાર્યને તથા સંધને બોલાવીને સંવત ૧૨૧૧ ની સાલે શનિવારે સેનાના દંડકળશ ને દવા ચડાવી પ્રતિષ્ઠા કરી અને દેવપૂજામાં ચોવીસ ગામ અને ચોવીસ બાગ ધર્માદા કયા, તથા તલેટીમાં પોતાના નામથી બાહાટપુર નામનું નગર વસાવી ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર બંધાવ્યો. આવાં તેનાં ઉદાર કૃત્યથી કુમારપાળ પણ ઘણે રાજી થયો. આહાડપુરનું ખંડેર હવણના પાલીતાણ શહરની પાસે પૂર્વ દિશાય છે. ઘરની ઇટે તથા નળિયાં અને છીપ, બંગડિયોના કટકા જોવામાં આવે છે. ૧ પ્રબંધચિન્તામણિમાં બાહાડ (વાહાડ) નામ છે તે ઉપરથી અહિ પણ એ જ નામ દાખલ કરાયું છે. પણ કુમારપાળ પ્રબંધમાં (ભા. ૫. ૧૮૯૦) એ વૃત્તાન્ત છે કે, “સપાદલક્ષના રાજાને ઉત્તરાસન વસ્ત્ર મોર્યું તે તેણે રાખ્યું નહિ, તેથી કુમાર“પાળને દેધ ચઢ્યો, અને તેના ઉપર મંત્રીપુત્ર ચાવડ, જે બાહડ અને અબડ(આમ્રભટ)થી બહાનો હતો તેને મોકલ્યો.” માળવાના રાજપુત્ર ચાહડ કુમારને સિદ્ધરાજની પાદુકા પૂજાતી હતી ત્યારે ગાદિયે ન બેસાયે તેથી તે રીસાઈને માળવાના આર રાજની સેવામાં જઈ રહ્યો એમ ચતુર્વીિશતિ પ્રબંધમાં લખ્યું છે. “માળવાનો રાજપુત્ર ચાહડકુમાર” એમ લખવાથી એવી કલ્પના થાય છે કે તે કઈ રજપૂત હોય અને તેને પોતાની પાછળ ગાદિયે બેસારવાની સિદ્ધરાજની ઇચ્છા હોય તેથી ધર્મપુત્ર કરી રાખ્યો હોય. ચાહઠ ઉદાર હતા તેથી આગળ વધતાં તેના મેલાણુમાં ઘણું માગણ એકઠા થયા તેમને ત્યાગ આપવા કોષાધ્યક્ષ પાસે રૂપિયા માગ્યા તે તેણે આપ્યા નહિ, એટલે તેને મારી હાડી મૂ, અને માગણને યથેચ્છ દાન આપી રાજી કરવા. પછી એક સાંઢણી ઉપર બે એમ ચૌદસે સાંઢણિ ઉપર સુભાને બેસારીને સંવર બિર્બરા પાસે આવ્યા. ત્યાં ૭૦૦ કન્યાએનાં લગ્ન થતાં હતાં તેથી તે કાર્ય પૂરું થવાને નગરને ઘેરે ઘાલીને હાર પડાવ કરો. કૈડવા કણબી બાર બાર વર્ષે લગ્નને દિવસ ઠરાવે છે તેથી સામટી કન્યાઓ પરણાવવી પડે છે. એ ઉપરથી એમ જણાય છે કે એ નગરમાં કૈડવા કણબીની વસ્તી વધારે હશે. આ ગામ આજે અંબેરા અથવા બાર કહેવાય છે. જે સાનીંગે ઇડર લીધું તેના વંશના હવાણ રાવ રાઠેડ અભયસિંહ ઉમેદસિંહ કરીને છે, તે માહાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy