SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ २९७ “તેવી પ્રકૃતિનો હેય, તારું ગમે તે નામ હોય, તારે ગમે તેટલે કાળ હેય “તે પણ તારી સ્થિતિ છે. જેનામાં પાપકર્મ નથી, અને જેના કર્મથી પાપવાસનાને પરિણામ થતું નથી એ તું, એક ઈશ્વર છે તે, તને મારી પ્રાર્થના છે. માયા જે અવતારનું બીજક છે તે માયાને પાશ જેણે તેડ્યો છે, તે “પછી બહ્મા, વિષ્ણુ, કે શિવ ગમે તે હોય તેને પ્રાર્થના છે.” તે આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો તે જોઈ રાજા પોતાના કારભારિ સહિત આશ્ચર્ય પામીને ઉભો રહ્યો. પછી શ્રીહેમાચાર્યે શિવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બૃહસ્પતિના કહેવા પ્રમાણે રાજાએ બહુ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને પિતાની તુલા કરીને દાન કર્યું તથા હાથી આપ્યા અને કર્પરની આરતી કરી. પછી સર્વેને બહાર જવાની આજ્ઞા કરીને કુમારપાળ તથા હેમાચાર્ય દેવળના નિજ મંડપમાં બારણું બંધ કરીને પેઠા. કુમારપાળે હેમાચાર્યને કહ્યું: “આટલા બધા ધર્મ છે તેમાં જેથી ખાતરી થાય એ એક ધર્મ પ્રતિપાદન કરવાને હું બહુ આતુર છું. સોમેશ્વર સરખો બીજે કઈ દેવ નથી; મારા જેવા કેઈ રાજા નથી; અને “તમારા જેવો કોઈ સાધુ નથી; મારા ભાગે કરીને ત્રણે વસ્તુ એકઠી થઈ तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतम् । बुद्ध वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ४ ॥ ભવબીજના અંકુરને ઉત્પન્ન કરનાર રાગ (૧ કામ, ૨ ક્રોધ, ૩ લોભ, ૪ મેહ, ૫ મદ, અને ૬ મત્સર) આદિ જેના ક્ષય પામેલા છે, તે બ્રહ્મા છે, અથવા વિષ્ણુ હો, અથવા હર હો વા જિન હો, તેમને હું નમસ્કાર કરું છું. જે તે સમયે જેવો તેવો તું છું, જે તે નામવાળે છું, તે તું જે, દેવરૂપી કલુષ રહિત એક જ હાઊં તો હે ભગવન્! તને હું નમસ્કાર કરું છું. પિતાની આંગળિયે સહિત હથેલીની રેષા સાક્ષાત દેખાય છે, તેમ જેને ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ) તથા અલેક (જ્યાં જીવની ગતિ નથી, તે આકાશપ્રદેશ) સાક્ષાત્ દશ્યમાન છે; અને રાગ, દ્વેષ, ભય, આમય (ગ), અંત (કાળ) જરા (ઘડ૫ણું), લવ (ચપળતા, અને લેભ આદિ જેના પદનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન થતાં નથી, એવા મહાદેવને હું વંદન કરું છું. (૩) જે વેલ જગતને જાણે છે, જેણે વિશ્વની ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ છતાં અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુ પુરૂષને વંદન કરવા યોગ્ય છે, અને જેના દેષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકલ ગુણનિધિ બુદ્ધ છે અથવા વર્ધમાન (મહાવીર), અથવા બ્રહ્મા હો કે કેશવ (વિષ્ણુ ) હે, અથવા શંકર (મહાદેવ) હો, તેને હું વંદન કરું છું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy