SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ૨૪૫ કુમારપાળને ઘણા રાજાએ આવી મળ્યા, તેમ જ વળી કાળી, ઘણા કુશળ સવાર અને ચેાગરદમથી અરણ્યના લેાકેા સામેલ થયા. તેના ખંડિયા કચ્છના લેાક અને તેમની સાથે સિંધિયા પણ તેના વાવટા પછવાડે ચાલવા ગ્રામેયક એટલે સત્ય ખેલવામાં પ્રવીણ અને અગ્રામ્ય એટલે અસત્ય ખેલવામાં પ્રવીણ એવા-ભાવાર્થ કે સત્યાસત્ય ખેલવામાં નિપુણ એવા તથા કાત્રેયક એટલે ધર્મ, અર્થ, ને કામ એ ત્રણ જેમાં કુત્સિત છે એવા દેશમાં વ્હેનારા. કુંડ્યા અને કુણ્યા એવા નામનાં એ ગામ એમ કેટલાક અર્થ કરે છે અને કેટલાક એ બે નામની નદીને કિનારે વસનારા એવા અર્થ કરે છે, તેઓ પણ હતા. પૌરસ એટલે આગળના ભાગની સેનાને સેનાપતિ, વૃદ્ધિ દેશના વાલ્હાયન રાન હતા તેને ઠરાવ્યા; અને પાશ્ચાત્ એટલે પાછળના સૈન્યનેા સેનાપતિ, ઉર્ફે દેશના ઉજ્જૈયન રાજાને ઠરાવ્યા. વળી પર્દિદેશના રાજા સાથે હતા. અન્નનેા એ પ્રકારે જમાવ હતા. કુમારપાળની સહાય્યતામાં નીચે પ્રમાણે હતાઃ—યુગંધરનું પાયદેલ; કુરૂ દેશના અશ્વાર; સાલ્વ દેશનું પાયદલ; ગુજરાતની સમીપના મહિયડ જાતિના ક્ષત્રિયેાના નાદ્રત દેશના રાજા. રાષ્ટ્રીય જાતિના રજપૂતાના રાજા જે સમીપવાસી હતા તે નાન્દીપુર, સાંકાશ્યપુર ફાલ્ગુનીવહ દેશના ભૃત્ય રાજા, ખલાલ ઉપર ચડ્યા તેમ જ કાક નામના બ્રાહ્મણ સેનાપતિ જે કુમારપાલના દંડપિત હેવાતા હતા તે વાતાનુપ્રસ્થપુરના રાજા સહિત ચડી ગયા. કુમારપાળ ચડ્યો તે વેળાએ તેની સાથે ઐરાવત, અભિસાર, દર્વસ્થલી, ધૂમ, ત્રિગત, અભિસારાગતના રાજા પણ ચડ્યા. સૌવીરના કુળ નામે ગામના ઉત્તમ અશ્વારો પશુ કુમારપાળ સાથે ચાલ્યા. આ વેળાએ ચક્રવર્તે દેશના રાજાએ કુમારપાળને છત્ર ધસ્યું હતું. ચ્છના નામી બળદે। સહિત વાસિયા તથા સારા ઘેાડા સહિત સિન્ધુ દેશના વતનિયા સંગાથે ચાલ્યા. ઈક્ષ્વાકુ, શૃગાલગä, આશ્વત્યિક, કર્તક, દાક્ષિહદ, દાક્ષિકંથા આયમુખના રાજાઓનાં સૈન્ય તેના ભેગાં મળ્યાં. દાક્ષિ નગરથી પૂર્વ ભણીના રાજા તથા તે નગરથી પશ્ચિમ ભણીના, તેમ જ વાહિક ગામના ભૃત્યા અને દાક્ષિથી, પલદથી પશ્ચિમ ભણીના ગામના સુભેટા તથા મૃગચર્મ, કામળિયા આદિ પર્વતવાસને ઉચિત એવા વેષવાળા પર્વતાસિયા, જ્યાં કૃષ્ણ અને પણું દેશના લાક વસે છે એવી અર્બુદ ભૂમિના (આખુના) રાજા વિક્રમસિંહ, જે કુમારપાળના ભૃત્ય ગણાતા હતા, તે ગહ દેશના પાયઠ્ઠલ સહિત તૈયાર થયેા. ચંદ્રાવતી નગરીના પરમાર રાજા વિક્રમસિંહે એના મુલક છીનવી લઈ ને એના ભત્રીન શેવલને આપી દીધા. ને કુમારપાળના ઉમરાવ યશે ધવલે લાલ સેનને મારી નાંખ્યા છે. જીવા “ધાર રાજ્યના હિન્દી ઇતિહાસ.” ચોાધવળ વિક્રમાદિત્યને બત્રીએ થતા હતા. ૨. ઉ. ૧. કચ્છના જામ લાખા જાડાણી અને સિંધના જામ ગાઢાજી જાડાણીનાં વર હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy