SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રા' ખેંગાર ૨૦૭ ખરાબાઓમાંથી રસ્તે પાડ્યો છે ત્યાં થઈને પર્વતને તળિયે યાત્રાળુ લેકે પ્રવેશ કરે છે, ત્યાંથી સુમારે એક માઈલના વાંકાચૂકા અને ખડબચડા માર્ગ થઈને પર્વતને ઢોળાવવાળો સ્કંધ થઈ રહે છે ત્યાં આગળની એક કરોડને તળિયે આવી પહોંચાય છે. આ પવિત્ર પર્વત અહિંથી મોટા, કાળા ગ્રાનાઈટ પથ્થરના ભયંકર દગડને વિલક્ષણ દેખાવ આપણ નજરે પડે છે; એની ટોંચ ઉપર સપાટ જગ્યા છે તેની આસપાસ કટ કરી લીધેલો છે, તે છેક કરાડ ઉપર આવ્યું છે ને તેમાં જૈન તીર્થંકરનાં ચિત્ય (દેરાસર) છે. આ મેદાનથી ગિરનારના શિખર ઉપર ચડવાનો ઝાડીમાં માર્ગ છે. ત્યાં અંબા માતાનું દેવું છે. આ પર્વતને જૂદી જૂદી છ તૂકે છે તે ઉંડી ખાઈથી એક બીજાથી જૂદી પડેલી છે. આ ટૂકમાંથી ઉંચામાં ઉંચી છે તે ગેરખનાથને નામે પ્રસિદ્ધ છે, અને ઘરમાં દૂર છે તે કાલિકાને નામે જાણીતી છે. કાલિકાની ટૂક ઉપર ઘણું ઘેર ક્રિયાઓ થાય છે, અને જે ચાલતી વાત ખરી હોય તે મનુષ્યમાં ભક્ષણ કરનારા અઘેરીના ઉપર કાલિકા પ્રસન્નતા જણાવે છે તેથી તે અઘોરેશ્વરી માતા કહેવાય છે. નીચેની તળેટીના મેદાનમાંથી માત્ર ચાર તૂકે નજરે પડે છે. આ તકે જુદે જૂદી ગોરખનાથના દેવાલયથી સ્વતઃ દબદબાભરેલી દેખાય છે, પણ થોડે માઈલને છેટેથી તે ગિરનારને શૈક આકારનો દેખાવ કરી દેવાને રહેતાં રહેતાં સ્થળ ભાગ સાથે મળી ગયેલી દેખાય છે. નેમીનાથના પર્વતની અધયકામાં બાંધેલાં દેરાસરનું યથાસ્થિત વર્ણન આપવાની આ ઠેકાણે અગત્ય નથી, પણ માત્ર એટલું જ કહેવું બસ છે કે, એ ધર્મ માનનારા દ્રવ્યવાન લેકેાએ, શત્રુંજયની પેઠે આ ઠેકાણે આ સર્વોત્તમ દબદબાભરેલાં પિતાના ધર્મનાં દેરાસર બંધાવવામાં અને તેને નીભાવવામાં જરા પણ ખાંપણ આવે એમ કર્યું નથી. નીચે ઉતારે કરેલી રાણકદેવડીની વાત, ભમતા ગયા જે તુરીના નામે ઓળખાય છે તેઓની પાસેથી મળી છે. જેમ ઉચ્ચ વર્ણના હિન્દુઓ સાથે વધારે પ્રખ્યાતિ પામેલા ભાટચારણનો સંબંધ હોય છે તે જ પ્રમાણે આ વરી લેકોનો ઢેડની સાથે સંબંધ હોય છે, તેઓને તેમના યજમાનો પાસેથી ભીખ મળે છે તે માગી ખાતા આખા દેશમાં ભટકતા ફરે છે; અને તેના બદલામાં યજમાનને અધ કવિતામાં અને અધ ચરડ(ગદ્ય)માં એવી ઢંગઢાળ વિનાની ૧ ઢાઝ વેસ્ટર્ન ઇન્ડિયા નામના પુસ્તકમાંથી, અને કીટની ગિરનાર ઉપરની નોંધ ઉપરથી લીધેલું આ વર્ણન ગાલ એશિયાટિ સેસાઈટીના સાતમા જર્નલને પૃષ્ઠ ૮૬૫ મે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy