SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ જગદેવ પરમારની વાત “સારું જૂઠું બોલ્યા. પણ આ બધા બનાવ મેં મારી નજરે દીઠે, ને મારા “કાને સાંભળ્યો. એમને ભારે પગાર બાંધી આપવામાં આવ્યો ત્યારે તમે બડ બડવા લાગ્યા. પણ હું જે નિત્યના એક લાખ અથવા એક કરોડ આપું તે પણ “એમના જેવો બીજે રજપૂત મને મળે નહિ.” આ પ્રમાણે સિદ્ધરાજે કહીને, પિતાની વડી કુમારીનું નાળિયેર જગદેવને આપ્યું, અને તે સાથે બે હજાર ગામ પણ આપ્યાં; વળી તે ઉપરાંત તેમના જાતખર્ચ સારૂ બીજે પાંચસે ગામ આપ્યાં. પછી જગદેવને કડાં, મોતીને કંઠ, કલગી, અને બીજે પાર વિનાનાં ઘરેણાં આપી ઘેર વિદાય કરો. જગદેવે ઘેર આવીને સર્વ વૃત્તાંત ચાવડીને કહ્યો. તે બોલી: “તમે રાજા છે, તમારા અંતઃપુરમાં બે ચાર રાજકન્યાઓ જોઈએ, તમે બહુ સારું કર્યું, “સંબંધ ઘણે સારે થયે.” પછી જગદેવે સારું મુહર્ત જોઈને લગ્ન કર્યું. પ્રજા સિદ્ધરાજને અને જગદેવને સમાન ગણવા લાગી. આ પ્રમાણે સુખ ભોગવતાં બે ત્રણ વર્ષ વિતી ગયાં. ભુજ નગરમાં રાજા ફલજી રાજ કરતો હતો; તેને પુત્ર લાખ ફલ કરીને કુંવર હતું, તેને બે કુંવરિયો હતી. એક સમયે તેણે વિચાર કર્યો કે આપણી કુંવરિયો વરવાને ગ્ય થઈ છે, તેથી હવે તે કઈગ્ય વર શોધી કાહાડવા જોઈએ. પછી પિતાના પ્રધાનને બોલાવીને સિદ્ધરાજ જયસિંહને નાળિયેર મેકલવાની સલાહ કરી. તે પ્રમાણે જાડેજીનાં નાળિયેર પાટણ આવ્યાં. સિદ્ધરાજે જાન તૈયાર કરીને સાથે જગદેવ અને બીજા મહાન સામે તેને લીધા. તે ચાલતાં ચાલતાં ભૂજનગર આવી પહોંચ્યા. મહા ૧ કચ્છના બેલાડીમાં પ્રથમ અને પછી અણઘેરના ગઢમાં રાજધાની કરીને રાજા ફૂલે રાજ (ઈ. સ. ૮૫૫ થી ૮૮૦ સુધી) કર્યું છે. હબાયની એક હાની ધાર ઉપર બલાડીનો કેટ આજે પણ છે. અણઘોર પાણુ હબાયની ધાર ઉપર છે. આ કેટ ખંડેર થયો છે અને તેમાં જૈનનાં દેરાં પણ ખંડેર સ્થિતિમાં છે, પણ ફૂલની વાત આ પ્રસંગને મળતી આવતી નથી. જામ લાખા જાડાણુને સાત કન્યા હતી તેને યોગ્ય વર ન મળવાથી તેઓ બળી મેઈ, એ વાત પ્રસિદ્ધ છે. પણ તેમાંની મેટી બે કન્યાઓનાં લગ્ન થયાં હોય અને બીજીઓનાં ન થયાં હોય તેથી બળી મેઈ હોય એ સંભવ પણ ધારી શકાય છે. જામ લાખા જાડાણુની રાજગાદી લાખિયાર વિયરામાં હતી. જાડેજા અવટંક આ રાજાથી પડી છે. તેમ સિદ્ધરાજના સમયમાં લાખો ફલાણી નહિ પણ આ લાખ જાડાણી હતું. એને સમય ઇ. સ. ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી હ. ૨ તે વેળાએ લાખિયાર વિયરામાં રાજગાદી હતી. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy