SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ રાસમાળા જયસિહદેવ ગાદિયે બેઠે તેના પછી તેને પુત્ર આનંદદેવ ગાદિપતિ થયો છે, પૃથિરાજને દાદો થાય, અને બીજા ભીમદેવને સામાવાળિયે જે સેમેશ્વર તેને બાપ થાય. હેલો ભીમદેવ ઉદયામતિ વેહેરે પર હતો. એને પિટ કર્ણ નામે કુંવર પ્રસવ્યા હતા. આ રાણિયે અણહિલવાડમાં એક વાવ કરાવી છે તે એકલી જ માત્ર ખંડેર અવસ્થામાં હાલ રહેલી છે, બાકી વનરાજના વંશનાં સ્મરણાર્થ થયેલાં બધાં બાંધકામને નાશ થયો છે. આ વાવને રાણીની વાવ કરીને કહે છે. ભીમદેવને વળી બીજા બે કુંવર હતા, તેમાં એકનું નામ મૂળરાજ અને બીજાનું નામ ક્ષેમરાજ હતું. આગળ વાંચતાં જણાશે કે આ બન્ને કુંવર કર્ણના પહેલાં જન્મ્યા હતા. મૂળરાજની માતાનું નામ જાણવામાં આવ્યું નથી; ક્ષેમરાજની માતાનું નામ બકુલાદેવી હતું, તે સે વશા તે રાખ હતી અને નીચા કુળની હતી. પ્રબંધચિંતામણિને કર્તા કહે છે કે, તે ગણિકા હતી, અને ભીમદેવે એક ગુલામ તરીકે વેચાતી લીધી હતી. ક્ષેમરાજનું નામ કેટલીક વાર હરિપાળદેવ લખવામાં આવ્યું છે, તે તેની વાનપ્રસ્થ અવસ્થામાં વિષ્ણુની પૂજા કરવા ઉપરથી કદાપિ પડ્યું હશે. એમજ આચાર્ય, મૂળરાજની નીચે પ્રમાણે વાત કહે છે, તે આશ્ચર્યકારક છે, પણ તેના ઉપરથી પહેલા ભીમદેવના વારામાં ઉપજની વસુલાત વિષેની વ્યવસ્થા કેવી હતી તે જાણવાને બની આવે છે; અને વળી ગૂજરાતના ખેડુત, હાલ ઉપજ ઉઘરાવતી વેળાએ હઠીલાપણું બતાવે છે, અને કુમળી નજરથી બુજ કરનારા જણાય છે તેવા જ તે વેળાએ હતા. એક વેળાએ, “એક વર્ષ ગૂજરાતમાં વર્ષાદ પડ્યો નહિ ત્યારે ડંડાઈ અને વિશેપક ગામના કુટુંબિકે (કણબિ) રાજાને ઉપજને ભાગ આપવાને પહેડી પછી સામેશ્વર થયે તે રાક્ષસ સંબંધી વૃત્તાન્તથી જાણીતે થયું હતું. એક સમયે એક બ્રાહ્મણ પોતાની સ્ત્રીના દુઃખથી કંટાળીને પેલા રાક્ષસ પાસે ગયે તેને તે પૂછવા લાગ્યો કે, તું શા દુઃખને માર મારી પાસે મરવા આવ્યો છું? તે કહે કે, મને સ્ત્રીનું દુઃખ મહેપ્યું છે. રાક્ષસે તેને દ્રવ્ય આપી કહ્યું કે, આ દ્રવ્યથી તારી સ્ત્રી રાજી રહેશે પણ તેના બદલામાં તું સેમેશ્વરને મારી વતી કુહેજે કે, હું સૂવર રૂપે વનમાં ફરીશ તે પ્રસંગ જોઈ મારે વધ કરી તે માંસનું ભક્ષણ કરીશ તે મારે ઉદ્ધાર થશે અને જે માંસ ભક્ષણ કરશે તેઓને પુત્રની પ્રાપ્તિ થશે. સેમેશ્વર પોતાના વિશ્વાસુ સાથિયે લઈને ત્યાં ગયો અને રાક્ષસની ઈચ્છા પ્રમાણે કર્યું એટલે તેને પૃથિરાજ થો તેમ જ તેના સાથિયાના પુત્ર પૃથિરાજના સોળ સામંત અને સૂરમા થયા. સૂવરની જીભ ભાટના ખાવામાં આવી તેથી દેવીને વરદાયી ચંદ ભાટ તેને થયો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy