SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ re રાસમાળા વ્હેરા ચૂલાની ધૂણીથી જાણે તેવા થઈ ગયા હાય એમ માની તેને જોઈને ગુજરાતના સુભટ હસવા લાગ્યા. લાટના રાજાને ધણા એટના રાજાઓને આશ્રય હતા તા પણ તેને જિતવા કઠિણ ન હતા. મૂળરાજની સરદારી નીચેની એક ટુકડીની માત્ર સાહાય્યથી ચામુંડ કુંવરે ગુજરાતી સેનાને આગળ કરીને તેના ઉપર હલ્લા કરી તેને ઠેર કયો. આ પ્રમાણે ચામુંડે પોતાની કુંવારી તરવારને લાહી પાયું તેથી તેને પિતા તેના ઉપર પ્રસન્ન થયા; પછી તરત જ સેના અણહિલવાડ ભણી પાછી ચાલી. મૂળરાજના ધાવનસ્થાનની હવે હદ આવી. તેણે પેાતાના મેાસાલપક્ષવાળી પેાતાના રાજ્યની સરહદ ચારે દિશાએ વધારી દીધી. કચ્છ તેણે જિતી લીધું; સારઠની પવિત્ર ભૂમિમાં પણ તેની આણ વર્તાવા માંડી; દક્ષિણના લેાકેાએ, તેને જિતનેા વાવટા નર્મદા અને સહ્યાદ્રિ પર્વતના ઘાટની પેલી પાર ફરકતા દીઠા; પવિત્ર આત્રુના શિખર ઉપર દુર્જેય અચળગઢના દુર્ગમાં પરમારરાજા રાજ્ય કરતા હતા તેણે એની શ્રેષ્ટતા સ્વીકારી, અને મારવાડ તથા ઉત્તર હિન્દુસ્થાનના મહા વીરા ગૂજરાતના વાવટા પાછળ તેની સરદારી નીચે પ્રથમ જ ચાલવા લાગ્યા. વળી તેને ધરનું સુખ પણ સારૂં હતું, અને હિન્દુ જેને અત્યંત સુખ ગણે છે અને જે સુખ તેના પછી થનારા અણહિલપુરના રાજાઓને હતું નહિ તે સુખ પણ તેને હતું, તે એ કે તેની પછવાડે તેની ગાદી ઉપર બેસનાર યાગ્ય કુમાર હતા. મૂળરાજે પોતાના માસાલપક્ષનાં સગાંને કતલ કરી નાખ્યાં હતાં, તેને પૂર્ણ પસ્તાવા તેને હવે પેાતાના રાજ્યના છેલ્લા દિવસેામાં થવા લાગ્યા તે તેનું પ્રાયશ્ચિત્ત ગમે તેટલું ખર્ચ થાય તેાયે તે કરીને પણ કરવાની માત્ર હવે તેના મનમાં આતુરતા રહી; તેથી તે દુ:ખને! માણ્યો એક યાત્રા પછી બીજી યાત્રા કરવા સારૂ ભટકવા લાગ્યા; પણ ધરાપણને લીધે, ભટકવાથી થાકી ગયેલા, પાપ અને સકટને। મારવો, અજ્ઞાની, આરામની ઇચ્છાએ સિદ્ધપુર જઈ વશ્યા, ને ત્યાં તેણે આગળ લખ્યા પ્રમાણે, મહાદેવની કૃપા સંપાદન કરવા સારૂ એક દેવલ બાંધવાનું શિરૂ કર્યું. ૧ કીર્તિકૌમુદીમાં લખ્યું છે કે ( જીવા સર્ગ૦૨ને શ્લાક-૩ ભાષાન્તર રૃ. ૧૩) સેનાની લાટેશ્વરના, અસામાન્ય પરાક્રમી તે બાપને હણી જેણે હાથીસેના ગ્રહી દળી. ૨. ૩. ૨ ધારમાં સીયક બીજો (હર્ષ) સન ૯૪૧ થી ૯૭૩ સુધી, ત્યાર પછી સુજા (વાતિ ખીને) ૯૭૩ થી ૯૯૭ સુધી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy