SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળરાજ સોલંકી ૭૭ કચ્છને જામ લાખો જે તેને મિત્ર હતો તે પણ તેને આવીને મળ્યો. તેનું રણસંગ્રામમાં મોત થશે એવું જેશિયોએ તેને ભવિષ્ય કહ્યું હતું તે પણ રણક્ષેત્રમાં પડીને વૈકુંઠવાસ કરવાની તેનામાં ઈચ્છા ઉત્પન્ન થઈ લાખાએ કહ્યું છે કે “જેનાં યુવાવસ્થાનાં પરાક્રમ કઈયે જેમાં નહિ તેને ધિક્કાર છે. મારા જીવતરને અંત આવ્યો છે તેનું શું પારખું ?” દરિયાકિનારે જેનું રાજ્ય હતું તે સિંધુ રાજા પણ લશ્કર લઈને આવ્યો, અને દક્ષિણને મોચે પકડીને ઉભો રહ્યો. શીલપ્રસ્થને રાજા મૂળરાજની ભણી લડવાને આવ્યો તે નિપુણ બાણવળી હત; (મારવાડન) રાજા, સાથે પોતાના વગર બેડાવેલા માથાના સ્વામી મારે તેવી થાઓ! અને એમાં દ્વિપદી ને ચતુષ્પદી ગાતા ચારણને સમૂહ ઘડા જેવાં બાવલાંવાળી ગાયોને સુખે ચરો! “ઘડા જેવાં બાવલાંવાળી સે ગાય આપીને ખરીદેલી, જે ત્રણ ત્રણ વર્ષની ઘડિયે છે તેમને, બાળકોને તનાવી તનાવીને થે જોડે તથા ત્રણ વર્ષને નાને દારૂ કોરે મૂકી, ગળે માળા બાંધેલા અશ્વ ક્ષણમાં તૈયાર કરો! જા, મહેટા રાજાઓ સહિત, તેમ બહુલામ નામની પુરીના અધીશ્વર સહિત સે રાજાવાળી કે હજાર રાજાવાળી, સદા સામેપાયથી વિરહિત એવી, અને સર્વદા યુદ્ધ માટે તૈયાર એવી, તેમની સેના તૈયાર કરીને સીમાડે યુદ્ધ માટે આવે, એમ તારા સ્વામીને કૂહે.” એમ રજા પામેલા દૂતે પિતાના સ્વામી પાસે જઈ સર્વ હકીકત કહી લડાઈની તૈયારી કરાવી. (ચાશ્રય-પ્રો. મ. ન. દ્વિવેદીનું ભાષાંતર) ૧ દ્વયાશ્રયમાં ગ્રાહરિપુની મદદમાં કચ્છના જામ લાખાજી આવ્યાનું જણાવ્યું છે તે આ રીતે “બે પુરૂષ જેટલા ઉંચા ભાલાથી પ્રકાશ, નીલ ઘોડી ઉપર ચડેલે, અને નીલ વસ્ત્ર ધારણ કરતે નીલાદ્રિ જેવો જણાતે, ને રોહિણનાથના શત્રુને (રાહુને) પણ દૂર મૂકે તે લક્ષરાજ, રેવતીમાં આવ્યા.” લેક ૪૭, સર્ગ ૪ શે. આ ઉપર ટીકાકાર લખે છે કે-“રેવતીમાં એટલે જ્યારે ચંદ્ર એ નક્ષત્રમાં હતું ત્યારે, અર્થાત લક્ષરાજાની રાશી મેષ છે કેમકે અશ્વિનીમાં જન્મેલો છે. ને રેવતીમાં ચંદ્ર મીન રાશીને તેથી તે લક્ષરાજાને બારમો થયો. માટે આ અશુભ કાળે આવ્યાથી એનું મરણ થશે એમ સૂચવ્યું છે.” વળી જ્યારે જામ લાખાજી યુદ્ધમાં જવા તૈયાર થયો ત્યારે કહ્યું છે કે -- અહો! આજનો દિવસ, ચંદ્રયુક્ત પુષ્ય નક્ષત્રવાળ ન છતાં તે છે કેમકે પિષ અને તષ એવા સર્વ નરને સિદ્ધિદાતા છે; એમ ગર્ગાચાર્યની ઇચ્છા કરતા યાદવોને, ગર્ગની ગરજ સારવા લવ, લક્ષરાજા તૈયાર થયો.” શ્લેક ૯૦, સર્ગ ૪છે. આ ઉ૫ર ટીકાકાર લખે છે કે-“પૈષતષ એટલે પુષ્ય અને તિષ્યમાં જન્મેલા. એ સંપ્રદાય છે કે બારમે ચંદ્ર છે તે પુષ્ય નક્ષત્ર હોય તે સર્વાર્થસાધક છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy