SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા આ વિષે ધ્યાનમાં ઉતરે એવો કાંઈ લેખ નથી. પછી પિતાના પટાવતને એકઠા કરીને બારપના લશ્કર ઉપર હલ્લે કર્યો ને તે સેનાપતિને ઠેર કર્યો તથા તેની ફેજમાં કાપાકાપ કરીને ભંગાણ પાડયું.' હવે નિવાસ કરું છું. તેને પર તેને સત્વર જણાશે.” ત્યાં જોયું તે વાનાં પાણી બધાં ખારાં થઈ ગયાં એટલે સોમેશ્વર પિતાના સેવક સમુદ્ર સહિત ત્યાં પધાસ્યા સમજી તેણે ત્યાં વિમૂર્તિપ્રાસાદ કરાવ્યું એટલે સર્વે જળ પાછાં મીઠાં થઈ ગયાં. ત્રિપુરૂષપ્રાસાદને માટે પૂજારી ખેળતે, તે શ્રી સરસ્વતી કિનારે કંથડી નામે પવિત્ર તપસ્વી હતું તેની પાસે ગયે, પણ તેણે કહ્યું કે अधिकारात्रिभिर्मासै माठपत्यात्रिमिर्दिनैः। . शीघ्रं नरकवाञ्छा चेत् दिनमेकं पुरोहितः ॥ અધિકારીને ત્રણ માસે, અને મઠપતિને ત્રણ દિવસે, નર્કની પ્રાપ્તિ થાય છે, પણ જો તે કરતાં એ તુરત નપ્રાપ્તિની ઈચ્છા થતી હોય તે એક દહાડે જ “પુરોહિત થવું. માટે હે રાજન ! સંસાર સમુદ્ર નિવિને તરવા હું એવા લે ભથી દૂર રહ્યો છું.” રાજાએ ધાર્યું કે સત્પાત્ર તે આ છે, ને એ માનતો નથી તો શું કરવું ? પછી તેને ભિક્ષા આપવાના રોટલામાં તેના નામનું તામ્રપટ્ટ કરાવીને ઘાલ્યું, ને તે ભિક્ષામાં આપ્યું, ત્યારે છેવટે તેણે પોતાના એક રાજવંશી શિષ્ય વયજલદેવને લઈ જવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તેની પાસે જઈ તેને સેવા માટે ૩૨ વારાંગના, ૮ પલ કેસર, ૪ ૫લ કરતુરી, ને ૧ ૫લ કપૂર નહાવા માટે, તથા આચ્છાદન કરવા માટે સિતાતપત્ર (તછત્ર), ગ્રામ સહિત આપવા કરાર કરી તેડી લાવ્યા અને વિપુરૂષધર્મસ્થાનના અધિકારીને તેને અભિષેક કરો. તે સ્થાન, કંકરોલ એટલે કાકરેલ નામના ગામથી આજે પણ ઓળખાય છે. આ પૂજારી રાજવંશી હતો તેથી દેવાલયમાં રાજવૈભવ જેવી ધામધૂમ રાખતે હેવાથી મૂળરાજની રાણુને તેને બ્રહ્મચર્ય વિષે શક ઉત્પન્ન થયો હતો, તેથી એક રાત્રિયે ત્યાં પૂજાપ લઇને ગઈ, પણ વયજદેવ તેની વૃત્તિ સમજી ગયો કે તેના ઉપર યાન ખાધેલા મુખની પીચકારી મારી. તેના એગળને સ્પર્શ જે જે સ્થળે થય તે તે સ્થલે તે રાણુને કોઢ નીકળે. પણ બ્રહ્મચારીની અતિ પ્રાર્થના કરવાથી તેણે પિતાના હાયલા પાણુથી તેને નહાવાની આજ્ઞા કરી તે પ્રમાણે કરતાં તેને થયેલો કોઢ મટી ગયે. ૨. ઉ. ૧ નાંદેલના ચેહાણેની દંતક્યા વિષે નીચેનું કથન છે તે ઘણું કરીને આ વિષે છે સંવત્ ૧૦૩૯ મા (સન ૯૮૩), પટ્ટણ શેહેરના આઘના દરવાજા આગળ લાખપુરાવ ચેહાણ જકાત ઉઘરાવતો હતો. તેણે મેવાડના રાજા પાસેથી ખંડણી લઈને તેની મરજી પ્રમાણે જે કરવાનું હશે તે કહ્યું-ઢાડકૃત સજસ્થાન ભાગ ૨ પૃષ્ઠ ૪૪૬. એવાંગ પ્રબંધ ચિતામણિમાં લખે છે કે સપાદલક્ષીય (હાણ રાજા વિગ્રહરાજ બીજે) રાજાએ મળરાજ ઉપર ચડાઈ કરી, તે સમયે તૈલપ દેશના રાજા તૈલપના સેનાપતિ બારપે પણ તેના ઉપર આક્રમણ કર્યું પણ તેમાં તે માણ્યો ગયો. તેના ઘોડા ને હાથી મૂળરાજે લઈ લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy