________________
૨૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભૂલી જતા નહિ, પણ માતાપિતાનું સ્મરણ થવાથી દેવસિંહ કુમારે સ્વદેશ તરફ જવાની તૈયારી કરી, રાજાની અનુજ્ઞા લઈ માટી ઋદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક વાર્દિ ત્રાના મધુરા નાદાથી જેણે પ્રસ્થાન કર્યું છે એવા દેવસિંહ કુમારે પેાતાના સૈન્યની સાથે સ્વદેશના માર્ગે પ્રયાણ કર્યું. પ્રિયાની સાથે ગ્રામ, નગર, આરામાદ્રિ જોતા, પલ્લીને વિષે પલ્લીપતિથી પૂજાતા તે માની રાજાથી માન મેળવતા ગિરિ, નદી, તલાવ, વાવ આદિમાં ક્રીડા કરતા, પત, નગર, શહેર વગેરેમાં જીનેશ્વરની પૂજાને રચાવતા, દુ:ખી જનાને દાનથી રાજી કરતા, અનુક્રમે મથુરા નગરીમાં આભ્યા.
પિતાએ માઢા આડ'બરપૂર્વક પ્રવેશ મહેાત્સવ કર્યાં. સકલ જતાને દાન માન દષ્ટિ અને મનેાહર વાણીથી સતાષ પમાડતા દેવસિંહ કુમાર પાતાના નગરમાં માટા આડંબર સાથે આવ્યા. નગરના નરનારીઓથી વાર વાર જોવાતા “દેવસિંહ ઘણે સમયે નગરમાં આવવાથી સર્વેના હનું કારણ થયા ને રાજા વગેરે પરમ આનંદ પામ્યા.
એકદા પરમ ભાગ્યવાળા દૈવસિંહને પાતાની પાર્ટ સ્થાપન કરી મેઘરથ રાજાએ વૈરાગ્યના રંગથી ગામ મુનિની પાસે ચારિત્ર અંગીકાર કરી મુક્તિની લક્ષ્મીન મેળવી લીધી, દેવસિંહ નરપતિએ યુદ્ધ કર્યા વગર અનેક દુર્કાન્ત રાજાઓને પાતાના પ્રતાપથી વશ કરી લીધા તે ન્યાયથી એકચક્રે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા.
સંસારનાં સુખ ભોગવીને થાકી રહેલા નરનાથ દેવસિંહ એક દિવસ પ્રાત:કાળે નિદ્રામાંથી જાગ્રત થયેલા વિચાર કરવા લાગ્યેા આ પૃથ્વી ઉપર જે રાજાઓએ પાતાના રાજપાટના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com