SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ્ર ] દંતકથા પ્રચલિત થવાના સમય વહેલામાં વહેલા નં. ૫ના સમયે થયે। હાવા જોઇએ. એટલે ગર્દભવેરે ધાર રાજાની કન્યા પરણાવવાની હકીકત તા નં. પ ની પહેલાના કાઇ રાજાના કાળે બની ગઇ હાવી જોઈ એ અને ઇતિહાસના પરિચયથી આપણે જાણી ચૂકયા છીએ કે તે ગભીલરાજા અન્ય કાઇ નહીં, પણ આ ગર્દભીલવંશના આદિપુરૂષ અને શકારિ વિક્રમાદિત્યના પિતા ગંધર્વસેન ઉર્ફે દર્પણ રાજા હતા. અન્ય રાજાઓ આ પ્રમાણે હવે આપણે પાંચે બનાવની તપસીલ તપાસો લીધી કહેવાય. તેઓનું પરિણામ ટ્રૅંકમાં એમ નેાંધી શકાય કે તેમાંના પ્રથમ, દ્વિતીય, અને ચતુર્થ મુદ્દા ગર્દભીલવંશી નં. ૫ વાળા રાજાને લગતા છે; જ્યારે તૃતીય અને પંચમ મુદ્દાએ ગર્દભીલવંશી નં. ૩ વાળા રાજાના સમયના છે. આ સિવાય ખીજું કાં, આમાંના કાઈ રાજવીએ વિષે જાણવામાં આવ્યું નથી એટલે આપણે તેમનાં વૃત્તાંતે સમાપ્ત થયાં લેખીશું. આપણા સ્થાપિત નિયમ પ્રમાણે ગર્દલીલવંશના વર્ણનના અંતેજ તેમના પ્રત્યેક રાજાઓના રાજ્ય વિસ્તારના ખ્યાલ આપત. પણ વિક્રમચરિત્રના તેમને લગતી વિશેષ હકીકત રાજ્ય વિસ્તાર જ્યાં ઉપલબ્ધ ન થતી હોય ત્યાં સ્વતંત્ર પરિચ્છે તે માટે ન રાતાં યથાસ્થાને તે હકીકત જણાવી દેવીજ રહે છે, તેથી અત્ર તે લખીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫૩ રાજ્યવિસ્તારવા જેવા અવકાશ પણ તેને મળ્યા નહેાતા. જ્યાં કાંઈક રાજગાદી ઉપર ઠરીઠામ ખેસવાના વખત આવ્યા હતા ત્યાં તે પોતાનાજ અવિચારી કૃત્યને લીધે તેને આંતરક્લેશ માટે તૈયાર થઈ જવું પડયું હતું. પરિણામે શક પ્રજાનું રાજ્ય અવંતિ ઉપર નિર્માણુ થયું હતું, જે સ` હકીકતથી આપણે પરિચિત થઈ ગયા છીએ. આ શક પ્રજાની અતિ જુલ્મભરી રાજનીતિને લીધે તેમના હાથમાંથી તેા, ઉલટું તેમણે રાજા ગર્દલીલ પાસેથી મેળવેલી ભૂમિમાંને પણ માટેા ભાગ સરી ગયા હતા. એટલે કે તેઓ નામશેષ જમીનનાજ સત્તાધારી રહ્યા હતા. પણ જેવી શકાર વિક્રમાદિત્યે અવંતિની ગાદી કબજે કરી, કે તેણે આસ્તે આસ્તે રાજ્યની હદ વિસ્તારવા માંડી હતી. અને સૌથી મેટા પ્રદેશ તે તેણે શાહીવંશી રૂષભદત્તના પુત્ર દેવણુકને હરાવી કરીને પેાતાની આણુમાં મેળવી લીધા હતા, એટલે પરિણામ એ આવ્યું હતું કે, રાજા નહપાણુના મરણુ સમયે જેટલા પ્રદેશ અતિની સત્તામાં હતા, તેટલા સધળા વ્યવહારૂરીતે આ વિક્રમાદિત્યના ખામાં આવી ગયા હતા. અથવા ટુકમાં એમ કહીએ કે આખા મધ્ય હિંદુસ્તાન-પૂર્વથી પશ્ચિમ સુધી—તેની આણુમાં હતા તા તે વાસ્તવિક કહેવાશે. આ ઉપરાંત અન્ય ભૂમિ તેને મેળવવા જેવું રહેતું નહેતું; કેમકે દક્ષિણ આખામાં ગર્દભીલવંશ સાથે પરમ મંત્રી ધરાવતા અંધપતિઓની હાક વાગી રહી હતી જ્યારે આખાયે ઉત્તર હિંદમાં ઈન્ડા-પાર્થિઅન્સ શહેનશાહનો ઝંડા ફરકી રહ્યો હતા. તેમ પેાતાની હકુમતમાં આવેલ પ્રદેશની વસ્તી, પૂરા થયેલ શક પ્રજાના રાજ અમલથી એટલી બધી ત્રાસીને બેહાલ બની ગઇ હતી. કે પ્રથમ તે તેને આંતરિક સુલેહ અને શાંતિ તથા વ્યવસ્થા કરવાનીજ જરૂરીઆત હતી; એટલે તે કામમાંજ તેણે પેાતાની સર્વે શક્તિ અને સમય રોકી દીધાં હતાં. પરિણામે તેને રાજકાળ જોકે બહુજ દીર્ધકાલી નિવડયા હતા, અરે કહે કે આપણી મર્યાદામાં અંકિત ચતા સર્વે ભારતીય રાજાઓમાં તેના નંબર પહેલા રાજા ગઈ ભસેનઃ દર્પણ, ક્ષહરાટ નહપાણુની પાછળ તુરતજ અવંતિતિ થયા હેાવાથી, સ્વભાવિક રીતે તેની સત્તાના સર્વે પ્રદેશ તેને વારસામાં મળી ગયા ગણાય. પણ નહપાણના ખરા ગાદીવારસ તેને જમાઈ રૂષભદત્ત હતા; એટલે તેની સત્તા તળે જે જે પ્રાંતા હતા તે સર્વે તેણે પચાવી પાડયા હતા; જેથી ગંધર્વસેનના હિસ્સે બહુ જીજ પ્રદેશજ રહ્યો હતા. તેમ તેના રાજ્યકાળ એટલા બધા અપસમયી નીવડયા છે? ગ્રંથથી નેડાવાને વર્ણભેદ ખાડા આવતે નહીં, વૈશ્ય અને ક્ષત્રિયા લમથી નેડાઇ રાતા હતા, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy