SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પચમ પરિચ્છેદ ] ઉતરી આવેલા કાંઈ પુરવાર થતા નથી, પરંતુ સ્થાપત્યના અને ઐતિહાસિક અન્ય પુરાવાથી પણ તે સાખિત થઈ શકે છે.” મતલબ કે તેમના આ કથનને તેઓ કેવળ અનુમાન નહીં પણ એક ઐતિહાસિક સત્ય બિના લેખવાનું સૂચવે છે. તેમની સૂચના આપણે વધાવી લઈએ તાપણ એટલું જ કહી શકાય કે, સુમાત્રા, જાવા અને આર્કીપેલેગાની વસ્તીને અમુક ભાગ, મૂળે કલિંગની પ્રજામાંથી ઉતરી હતા. પર`તુ એમ તેા સાષ્ઠિત થયું નહીં જ કે તે પ્રાંતા રાજા ખારવેલની સત્તામાં આવી ગયા હતા. તે જ પ્રમાણે કલિંગપ્રા અંગેની ઇરાની અખાત તરફની સ્થિતિ પણ થવા પામી હતી?, ] આવ્યે કહેવાય ઉપર પ્રમાણે તેનું રાજદ્વારી જીવન અને રાજ્યવિસ્તારનું વિવેચન હાથીણુંક્ાના લેખમાંથી જેટલું તારવી શકાયું તેટલું આલેખી બતાવ્યું છે. ધાર્મિક વિવેચન નીચેના પારામાં જણાવ્યું છે. તથા પ્રાસંગિક વિવેચન લેખની હકીકતથી જાહેર થયું છે કે, જેમ તે રાજકીય બાબતમાં રસ લઈ રહ્યો હતા તેમ ધાર્મિક અને સામાજીક જીવનમાં પણ ધાર્મિક તથા સાથે સાથે પ્રવૃત્ત રહ્યા કરતા સામાજીક જીવન હતા; તેથી આપણે તેને પેાતાના જીવનના એક વર્ષે લડાઈના રણ ક્ષેત્રે ઝઝુમતા અને બીજે વર્ષે કાંઇક પ્રજોપયેાગી કે આત્મકલ્યાણનું કાર્ય કરતા નિહાળી રહ્યા છીએ, લેખમાં પ્રથમના તેર વર્ષના બનાવનું દર્શન કરાવાયું છે તેમાંથી અડધાઅડધ રાજકીય પ્રવૃત્તિને સમય ખાદ કરતાં છ એક વર્ષ આ પ્રકારનાં જીવનનાં રહેશે. તેને વૃત્તાંત અનુક્રમ વાર તેમજ વિસ્તારથી સમજુતિ સાથે લેખના અનુવાદવાળા પરિચ્છેદે અપાયા છે. અત્ર તેને ટ્રક સાર જણાવીએ કે, એકાદ વરસ તેણે રાજનગરે કીલ્લા વિગેરેની મરામત કરવામાં ગાળ્યું હતું, એકાદ વર્ષ કુમારિપર્વત-ગારથગિરિ ઉપર વિહારા —સ્તૂપા ઈત્યાદિ બનાવવામાં, તેમજ એક વર્ષ (૩૨) જીઓ ઉપર પૃ. ૩૫૧ ટી. નં. ૧૪ (૩૩) આ સ્થાને આવડા મોટા અને મહામુલા મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૫૭ પેાતાના વંશના સ્થાપક અને તે પર્વત ઉપર મેક્ષપદને પામેલ એવા મહામેધવાહન વિજય પ્રવૃત્તચક્ર કરકંડુ મહારાજની કાર્યનિષિદી બનાવવામાં ગાળ્યું હતું. વળી એક વર્ષ તે પ્રાંતમાં દુષ્કાળ પડવાથી પૂર્વે ખેાદાયેલી ગંગા નદીમાંથી નહેર લંબાવો, પીવાનું પાણી આપો તેમજ ખેતીના કાર્યને સરળ બનાવી, પ્રજાને રાહત આપતાં કાર્યો કરવામાં અને કર માફ કરી રાજસૂય યજ્ઞ કરવામાં પણ ગાળ્યું હતું. તેમ એક વર્ષે વળી, ગેાદાવરી અને કૃષ્ણા નદી વચ્ચેના પ્રદેશમાં પલ્લવ રાજાને હરાવીને ત્યાં મહાવિજયપ્રાસાદ લગભગ ૩૮ લાખના દ્રવ્યના ખર્ચે ઉભા કરાવ્યા ઉપરાંત જે શ્રુતજ્ઞાનના લાપ થવાને નિર્માયા હતા તેમાંના એક પૂર્વના ૬૪ અધ્યાયને ફરી લખાવી—વિશેષ નકલા ઉતરાવીને વહેંચી દેવરાવી—તે જ્ઞાનને જીવંત ખનાવવામાં એક વર્ષ ગાળ્યું હતું. વિશેષમાં ઉપરના સર્વેને ટપી જાય તેવું જે કાર્ય તેણે ઉપાડયું હતું અને જે માટે મોટા રણસંગ્રામ ખેડવા પણ તૈયાર હતા, તે તે પેલી કલિંગજીન મૂર્તિને મગધમાંથી પાછી લાવો સ્વસ્થાને પુનઃસ્થાપિત કરવાને લગતું હતું. આ પ્રમાણેનાં છ વર્ષનાં સામાજીક કાર્યાં કરતાં, વચ્ચે પેાતાને ત્યાં યુવરાજના જન્મને ખુશા લીવાળા પ્રસંગ સાંપડતાં, તેને પણ યથાયિત રીતે ઉજજ્યેા હતેા. હતા. ઉપર વર્ણવેલા બનાવના વાચનથી એક વાત સ્પષ્ટ રીતે એ તરી આવે છે કે તેણે ભલે સામાજીક અને ધાર્મિક કાર્ય કરી ખતાવ્યાં છે, છતાં ઉડાણમાં ઉતરીને જોઇશું તે તેમાં વિશેષ પણે તેા, જેને દેવળ ધાર્મિક દૃષ્ટિએ આત્મહિતનાં અને કલ્યાણુ માર્ગનાં કહેવાય, તેવાંજ કાર્યાના સમાવેશ થતા હતા. ચાખ્યું અને કેવળ પ્રજાને ઉપયાગી કહી શકાય તે તે માત્ર નહેરવાળું જ કહી શકાય તેમ છે. અને તે પણ જે કુદરતે તે સમયે અવકૃપા ન કરી હાત, તે નહેરવાળું કામ તે હ્રાય ધરત કે કેમ તે એક પ્રશ્ન જ થઈ રહેત. વિજય પ્રાસાદ ઉભેા કરાવવાને શું કારણ તેને મળ્યું હતું તે તેના જીજ્જન પ્રસ’ગમાંથી તારવી શકાતું નથી. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy