SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર his expedition and conquests as a political hurricane. India was not changed, India was not Hellinised= હિંદીઓએ અલેકઝાંડરને બહુધા એક મટે ધાડપાડ અને તેના હુમલાને તથા વિજયને માત્ર રાજદ્વારી તફાન તરીકે લેખ્યા છે. હિંદુસ્તાનને પલટ થયું નથી તેમ તેણે ગ્રીક સંસ્કૃતિને અપનાવી પણ નથી, એટલે કે અલેકઝાંડરની મુરાદ બર આવી નથી. તેમજ તેના આક્રમણને નામે કઈ હિંદી પ્રાંતને વિજય થયો હોવાનું ચડાવી શકાતું નથી. બહુ ત્યારે એટલું જ કહી શકાય કે પચીસેક વર્ષો સુધી તેના સરદારે એ હિંદભૂમિ ઉપર પગ ટેકવી રાખ્યો હતોઅને તેમાંયે આપસઆપસમાં મારામારી ને કાપકુપી જેવી જ સ્થિતિ પ્રવર્તી રહી હતી. તે બાદ લગભગ સવાસો ઉપરાંત વર્ષો પરદેશીઓના હુમલા સિવાથના વ્યતીત થઈ જવા પામ્યાં છે. અલબત્ત, આ વર્ષો દરમ્યાન પણ હિંદમાં પરદેશીઓ તો હતા અને આવતા રહેતા જ. પણ તે વિજેતા થવાને કે શિક્ષક બની બેસવા માટે નહીં, પણ હિંદી પ્રજાના એક અંશ બનીને રહેવા માટે અથવા તે વિદ્યાથી બનવા માટે જ આવતા જતા. આ સવાસો વર્ષમાંના પ્રથમના ચાલીસેક સુધી તેમનો પ્રવાહ હિંદ તરફ થે હતો; પણ તેવામાં પ્રિયદર્શિનને રાજ્ય અમલ પૂર જેરમાં તપત થયે. તેણે પિતાના ધ મહામાત્રાને ત્યાં મોકલી તેમને આર્ય સંસ્કૃતિના મૂળાક્ષરો શીખવી તેનું રસપાન કરાવ્યું, એટલે તે બાજુની પ્રજાના સ્વભાવ તથા રહેણીકરણીમાં જબરારત પરિવર્તન થવા પામ્યું. આથી કરીને જ ઈતિહાસના ઉપરના લેખકને પણું ઉચ્ચારવું પડ્યું છે કે “ one object of Alexander's conquest was to spread Greek civilisation abroad: but wc regret to see that he himself and his men were orientalised in Persia=એલેકઝાંડરના હુમલાની એક મુરાદ તો પરદેશમાં ગ્રીક સંસ્કૃતિનો પ્રચાર કરવાની હતી, પણ નોંધતાં આપણને દિલગીરી ઉપજે છે કે તેનું તેમજ તેના માણસનું પરિવર્તન ઈરાનમાં થઈ ગયું હતું.”(જેટલું ઈરાનને લાગુ પડે છે તેટલું હિંદને પણ લાગુ પડે છે તેમ સમજવું કેમકે ઈરાનની સંસ્કૃતિ મૂળે હિંદની જ છે; તેથી તેને “પા ગી” કહેવાઈ છે. અસલમાં હિંદના રઘુવંશી અને યદુવંશી રાજાઓની સત્તા તળે જ ઈરાન હતું. જુઓ આગળ ઉપર) એટલે જ અલેકઝાંડરે પિતાની સંસ્કૃતિથી પૂર્વને આંજી નાંખવાના મનોરથ સેવીને જે આક્રમણ કર્યું હતું, તેને બદલે પોતે જ આર્ય સંસ્કૃતિની મહત્તા અને સરસાઈથી મુગ્ધ બનીને (પછી જોઈએ તો તેમાંના સારા અંશે ચૂંટી કાઢી, પિતાનામાં આમેજ કરી લેવાય અથવા તો સ્થિતિ અને સંયોગાનુસાર ત્યાં જઈ તેમના વચ્ચે જ વસી કરીને તે અંશે અપનાવીને પોતે જ તેવા બની જવાય) તે તરફ ખેંચાઈ ગયો હતો. જ્યારે હવે પછીના આક્રમણ લાવનારા ૮ આ હેતુ હતો એમ આપણે તેમની ---------- હમ ભલે ગમે તે વખતે કર્યો, પણ ઈરાનની અને હિંદની સંસ્કૃતિ તે બંને વખતે કયારનીયે એક સરખાપણે ચાલુ જ હતી; માટે સરખામણી કરવામાં વાંધો નથી. (૨૮) આ બધાં કથનની સત્યતા માટે આ પુસ્તકમાં હવે પછી આલેખવાનો “પરદેશી આક્રમણ (૨૭) અહીં વર્ણન કરાય છે અલેકઝાંડરના હુમલાનું અને પરિણામની સરખામણી કરાય છે તેની પછીના પચાસ સાઠ વર્ષે સ્થિતિ થઈ હતી તેનીએટલે બેની વચ્ચે કાર્ય-કારણનો સંબંધ નથી એમ વાચકને લાંગરો; પણ મારે જણાવવું પડે છે તે એટલું જ, કે એલેકઝાંડરે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy