SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મૈા આવતા તક્ષિલાપતિ રાજા આંભિને પેતાના પક્ષમાં લઈ લીધા અને પછી આગળ વધતાં રાખ્ત પારસના સામના ઝીલવા માંડ્યા. અલબત્ત, રાજા પોરસની સાથે કામ લેવામાં તેને રાજા મભિની પેઠે સરળતા પડી નહેાતી; પણ છેવટે તેણે તેને હાર ખવરાવી તેના મુલક યવન હકુમત નીચે મૂકી દીધા. આમ કરતાં આખરે તે સતલજ નદીના કિનારે ઇ. સ. પૂ. ૩૨૭માં આવી પહોંચ્યા. ત્યાં મગધપતિ અશાક પણ સામેથી આવી પહાંચ્યા એટલે યવનપતિની કૂચ ઉપર અંકુશ મૂકાયા. મતલબ કે અશોકે અત્યાર સુધીમાં (એટલે પેાતાના રાજ્યના પ્રથમ ત્રણ વર્ષમાં ઈ. સ. પૂ. ૩૩૦થી ૩૨૭ સુધીમાં) પાતાને મળેલ વારસાની ભૂમિમાંથી હિંદના વાયવ્ય ખુણાના અગત્યના ભાગ ગુમાવી દીધા હતા. હવે અહીં આગળ જ ખરા જંગ જામવાના હતા અને યવનપતિ । મગધપતિ એમાંથી કાણુ બળીયા કહેવાય તેની પરીક્ષા થવાના સમય હતા; કેમકે અત્યાર સુધી વનપતિએ જીતી લીધેલમાંના રાજા અભિ અને રાજા પારસ તા, તેની પાસે અત્યંત નાના જ કહેવાય, એટલે તેમને હાર ખવરાવવામાં કાંઇ બહુ મોટા પરાક્રમની વાત નહોતી. પણ ગ્રીક ઇતિહાસકારાએ જે કરે બાદશાહ અલેકઝાંડર અને મગધપતિ અશાકની વચ્ચેની મુલાકાતાના પ્રસગના લખી રાખ્યા છે અને જે આપણે અક્ષરશઃ પુ. ખીજામાં પૃ. ૨૨૮ ઉપર ઉતાર્યાં છે, તે ઉપરથી માનવાને કારણ મળે છે, કે યવનપતિ વિશેષપણે રાજકારણમાં દારદમામથી અને દાવપેચથી જ કામ લેનાર હશે. એટલે પ્રથમ મુલાકાતે જ દાણા ચાંપી જોતાં, જેવા અશાકને ૩ર (૨૦) ખરી વાત છે કે વચ્ચે ઇરાની શહેનશાહતને છૂંદી નાંખી તેમના મુલક ઉપર પાતાના વાવટા કુકતા કર્યો હતા, પણ તે માત્ર વચ્ચે આવતા લાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમ્રાટાના [ સપ્તમ ખાહુબળી જોયા કે તુરત જ તેણે પીઠ ફેરવવાનુ વ્યાજબી ધાર્યું લાગે છે. ગ્રીક ઇતિહાસકારોએ વનપતિની પીછેહઠ કરવાના કારણરૂપે એમ જણાવ્યું છે કે, ગ્રીક સૈન્ય લગભગ સાત-સાત વર્ષ જેટલા લાંબા સમયના યુદ્ધના થાકને લઇને કંટાળી ગયું હતું તથા નવા જીતેલા મુલકની હવા તેમને અનુકૂળ પડતી ન હોવાથી હેરાનપરેશાન થઇ ગયું હતું. આ હકીકત કેટલેક અંશે માન્ય રાખવા જેવી પણ છે, કેમકે પાછા વળતા સમયની મુસાફ્રીમાં તેના ઘણા સૈનિા મરી ગયા લાગે છે તેમજ યવનપતિ પાતે પણ મૃત્યુવશ થયા છે; છતાં પોતે જીતી લીધેલા અને હવે તેા પોતાના જ વહીવટ તળે આવી ગયેલા મુલકમાંથી, સીધાસટ સ્વદેશે પહેાંચી શકાય તેવું હોવા છતાં, લોથપોથ શરીરે અને મરતાલ તંદુરરતીમાં, તદ્દન નવા જ મુલકમાંથી પસાર થવાના માર્ગો તેણે અખત્યાર કર્યાનુ આપણે જ્યારે વિચારીએ છીએ, ત્યારે તે તેમાં કાંઈક અન્ય હેતુ પણ રહ્યો હશે એવા અનુમાન ઉપર જવુ પડે છે. કેમકે જો પંજાબ રસ્તે જ, જેમ આવ્યા હતા તેમ પાછા વળે તે તેણે હિંદની ભૂમિના॰ કેવળ નાના ભાગ જ તાબે કર્યાં કહેવાય. જ્યારે પોતાના દેશથી સૈનિકાને ઉપાડયા ત્યારે તે એવાં સ્વમાં સેવતાં ઉપાડયા હૈાવા ોઇએ, કે હિંદમાં સર્વત્ર પાપાબાઈનુ રાજ્ય છે એટલે ચપટી વારમાં આપણે તે મુલક સવ જીતી લઈ ત્યાંના સ્વામી બની ખેસીશું. તેમાં વળી જ્યારે નબળી ઇરાની શહેનશાહતને તેણે ઉખેડી નાંખી ત્યારે તા તેમની તે માન્યતા વધારે મજબૂત બનવા પામી હતી. પણ હવે જ્યારે નજરાનજર તેમણે હિંદને ઉઠાવવાના હતા. બાકી તેમની મુરાદ તા હિંદને જીતવા માટે હતી. માટે અહીં તે પ્રમાણે સ્થિતિ વિચારવી રહે છે. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy