SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તફિલાને [ ષષ્ઠમ પાર્થિઅન વિગેરે પરદેશી પ્રજાનાં ટેળેટોળાં હિંદ તરફ ઉભરાવા લાગ્યાં. તે સર્વે માં અરસપરસની સત્તા જાળવવાની રસાકસી થતાં-બે પશુની મારામારીમાં વૃક્ષને મર-તન્યાયે તક્ષશિલા નગરીને જ નાસ થઈ ગયો હશે એમ સમજાય છે. મહારાજા પ્રિયદર્શિનના સિક્કા જયારે મળી આવે છે ત્યારે એમ તે સિદ્ધ દાટ અથવા જ થયું કે, તેના સમય સુધી વિનાશ તક્ષશિલાની હૈયાતિ તથા જાડેજલાલી કડેધડે હતી. તે બાદ કાંઈ પણ વિશેષપણે કે સામાન્યરીતે–તેના વિશે જાણવામાં આવ્યું નથી. ઊલટું એક ગ્રંથકાર તે એમ જણાવે છે કે, મૌર્ય કાલાકી દો કૃતિયાં અબતક પ્રાપ્ત હે સક્તિ છે કે આભૂઘણુંકે રૂપમેં હૈ તક્ષશિલા કે અંતર્ગત “ ભીડ” નામક સ્થાન પર યે આભૂષણ પ્રાપ્ત હુએ હૈ સાથમેં ડિમેટ્રીઅસકા એક સિક્કા તથા કુછ અન્ય પુરાની મુદ્રાયે ભી મિલિ હૈ મૌર્યકાલકે યે આભૂષણ બહુત હી સુંદર હૈ ! તક્ષશિલામેં માર્યકાલકા અન્ય કે ઉલ્લેખ ગ્ય કૃતિ પ્રાપ્ત નહીં હુઈ હૈ! જ્યારે આ પ્રમાણે સ્થિતિ હોવાના પુરાવા મળી રહેતા જણાયા છે ત્યારે એમ સાર નીકળે છે કે, મહારાજા પ્રિયદર્શિનનું મરણ ઈ. સ. પૂ. ૨૩૬ માં નીપજ્યું ત્યારથી માંડીને, બેકટ્રીઅનપતિ રાજા ડિમેટ્રીઅસે પિતાની ગાદી ઇ. સ. પૂ. ૨૨ ના અરસામાં પંજાબના શાકલ શહેરમાં ( હાલના શિયાલકોટમાં)૭૧ સ્થાપી તે બે કાળના અંતરાળમાં તક્ષિલાને નાશ થયો હશે. ડિમેટ્રીઅસે ગાદી સ્થાપન કર્યાની હકીકતને આધાર એ માટે તે ઠરાવ્યો છે કે, તશિલા જેવી વૈભવવંતી અને જાહોજલાલી તથા ગૌવતાપૂર્ણ, તેમ જ અલી જહાં મહેલાત સહિત ભરચક આબાદીવાળ નગરી જો તે સમયે હૈયાતિમાં જ હેત તો તેને છોડી દઈને, શાકલ જેવું નાનું શહેર નવેસરથી વસા ને ત્યાં રાજપાટ લઈ જવાની જરૂરિયાત શા માટે તેને ઉભી જ થઈ હેત ? કોઈ એમ બચાવ કરે કે, રાજા ડિમેટ્રીઅસે પોતાના દેશને મુલક તથા રાજપાટ સર્વે ગુમાવી દીધું હતું તેથી હિંદમાં રાજધાની કરવાની તેને ફરજ પડી હતી. વાત ખરી, પણ તેથી કાંઈ એમ નથી કરતું-સિદ્ધ થતું-કે, પંજાબનું એક વખતનું જૂનું અને જામેલું નગર ત્યજી દેવું અને તદ્દન નવા પાયા નાંખી નવું શહેર વસાવીને પછી ત્યાં જ રાજધાની લગાવવી. કેઈ સામી એમ પણ દલીલ રજૂ કરશે કે, શાકલનું સ્થાન પોતાના રાજ્યના અંતમ હદ ઉપર હોઈને, સામા હરિફ રાજકર્તાની હીલચાલ ઉપર સીધી દેખરેખ પણ રાખી શકાય અને જરૂર પડે ત્યારે એકદમ-વિનાવિલંબે-તેને સામને પણ કરી શકાય; અથવા તો તેના રાયે લશ્કર ઉતારી ત્યાં કબજો મેળવી પોતાનું આધિપત્ય સ્થાપન કરી શકાય-આવાં અનેકવિધ રાજકીય કારણસર તેને આ નવું સ્થળ પસંદ કરવું પડયું હતું. તો તેમ પણ હેવા સંભવ નથી દેખાતો. તેને જવાબ એમ દઈ શકાશે કે, રાજદ્વારી દષ્ટિએ તે મુદ્દા ભલે બૌદ્ધિક અને ડહાપણયુક્ત છે, પણ તે તે સરહદ ઉપર કોઈ મજબુત થાણું ઊભું કરીને, ત્યાં કિલ્લેબંધી બનાવી, લશ્કરી અસબાબથી તેને સુસજિત ( ૭૦ ) મૌર્ય સામ્રાજડા ઇતિહાસનું પુ. પ૬ જુઓ, ( ) જુઓ કપરમાં વત્તાંત; પામખોર પ્રથમ પરિચોદે. હિમેટ્રીસના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy