SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ નહપાણ (૨) નહપાણુ ભૂમકનું મરણ મ. સં. ૪૧ =ઈ. સ. પૂ ૧૧૪ માં થતાં તેની ગાદીએ તેને પુત્ર નહપાણ આવ્યો હતો. એટલે અત્યાર તેનાં નામો સુધી પોતાના નામના છેડે તથા બિરૂદ જે ક્ષત્રપ શબદ લગાડતે તે સ્થાને હવે મહાક્ષત્રપ લખ- વાનું તેણે શરૂ કરી દીધું હતું. આ વખતે ક્ષહરાટ સંવત ૪૫ ચાલતો હતો. પછી બીજે જ વર્ષે ( કદાચ છ આઠ માસમાં પણ સંભવિત છે) તેણે શુંગવંશી છેલ્લે રાજા દેવભૂતિ જે અવંતિપતિ હતો તેની સાથે યુદ્ધ કરી મારી નાંખીને-કદાચ તેને ચડી આવેલે જાણીને દેવભૂતિને તેના અંતઃપુરમાંની કેાઈ રાણી કે રખાત મારફત તેના પ્રધાને મારી નંખાવ્યો હોય-આ સ્થિતિ વધારે સંભવિત લાગે છે–પતે અવં. તિની ગાદીએ બેઠે. આપણે આગળ જોઈ ગયા છીએ કે સારાયે હિંદમાં ઉજજેની, હિંદુ પ્રજાનું એક પવિત્ર સ્થાન ગણાતું હતું. તેમજ તેનું સ્થાન હિંદની મધ્યમાં હેઇને તેની રાજકીય અગત્યતા પણ વિશેષ હતી. અને તેને લીધે જ મગધસમ્રાટ પ્રિય દર્શિને પિતાની રાજગાદી પાટલિપુત્રમાંથી ફેર વિને ઉજજૈનમાં કરી હતી. તેમજ તેનું રેખાંશ પણ જોતિષશાસ્ત્રની દષ્ટિએ બહુ જ ઉપયોગી હતું. વળી મોટું વેપારી મથક પણ હતું, તેમ જૈન ધર્મની દૃષ્ટિએ પણ તે પ્રદેશ અતિ પવિત્ર ગણાતા હતા. આ પ્રમાણેની વિધવિધ વિશિ. છતાને અંગે અવંતિકાંત મેળવે અને તેના (૧) જુઓ આગળના પારિગ્રાફ ટી. નં. ૧૩ ની હકીકત. (૨) જુએ પુ. ૧, પૃ. ૧૮૨ અને આગળની હકીકત; પુ. ૨, પૃ. ૩૦૨. તથા ગૌતમીપુત્ર શાતકરણના રાજકર્તા થવું તે તે સમયે દરેક રાજાને પિતાના જીવનનું શ્રેષ્ઠતમ સાધ્ય થઈ પડયું હતું. તે પ્રાપ્ત કરવાને તે અનેક પ્રકારનાં જોખમ પણ તેઓ પિતાના શિરે વહેરી લેવાને તૈયાર થઈ જતા હતા. તે પ્રમાણે આ ક્ષહરાટ સરદાર નહપાણે પણ પિતાનો રાજ્યાભિષેક થયા બાદ સૌથી પ્રથમ ધ્યાન અવંતિની ગાદી મેળવવા જ દોડાવ્યું હતું. તે વખતે ત્યાંના આખા રાજ્યનું અંતઃપુર તેમજ મંત્રીમંડળ સર્વ વ્યભિચારપણામાં સડેલું હોવાથી તેને પિતાને પ્રયાસ સુસાધ્ય લાગતું હતું, જેથી ચડાઈ લઈ જઈ, તેના રાજાને મારીને મોટી ધામધુમથી અવંતિને રાજા બની બેઠે. હિંદુસ્તાનની આવી પવિત્ર ગણાતી ઉજજૈની નગરી ઉપર જે કંઈ પણ પરદેશીએ સ્વામિત્વ મેળવવાનું ભાગ્ય પ્રથમ પ્રાપ્ત કર્યું હોય તો તે આ નહપા જ હતા. અવંતિની ગાદી પ્રાપ્ત થતાં જ તેણે પિતાનું અસલી રાજપદ છોડી દીધું અને હવે મહાક્ષત્રપને બદલે “રાજા”નું બિરૂદ ધારણ કર્યું. આને સમય ક્ષહરાટ સં. ૪૬–મ. સં. ૪૧૩ઈ. સ. પૂ. ૧૧૪ છે, તે સમયથી તેવા બિરૂદવાળા સિક્કાઓ પણ તેણે પડાવવા શરૂ કરી દીધા છે; છતાં પોતાનું જાત્યાભિમાન તેણે તદન કરે મૂકી દીધું હોય એમ માનવાને કારણ નથી. જેની સાબિતીઓ આ સમય બાદ તેણે કોતરાવેલા શિલાલેખથી આપણને મળી આવે છે. તેમાં તેણે પિતાને સ્વામી-રાજા-કે મહાક્ષત્રપ તરીકે સંબોધ્યાનું જોઈ શકીએ છીએ. એટલે કે તેનાં બિરૂદ મહાક્ષત્રપ-રાજા જીવનચરિત્રે શકસંવતની સ્થાપનાને લગતી બીના. (૩) જુઓ પુ. ૨, પૃ. ૩૦૧-૩. (૪) જુઓ પુ. ૧, પૃ. ૧૮૨ થી આગળ પૃ. ૨૦૦ સુધીની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy