SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] તેમ જ પ્રજાના ભરડા જ અનુભવવા પડે અને દેશપરદેશ સાથે લેવડદેવડ અટકી જતાં દરેકને ખાભેાચીયા માંહેલા કૂપમંડુક જેવી સ્થિતિમાં જ રહેવું પડે : બાકી આટલી વાત તેા ખરી છે જ કે, જે મુલકને સિક્કો હાય તે મુલકમાં તેા ચલણનુ મુખ્ય અંગ તે જ રહી શકે છે: ઉપરાંત સિક્કાની અવરજવર તથા વપરાશને, રાજકીય વ્યાપારિક વિક્રયની સાથે સાથે, સામાજિક જીવન અને વ્યવહારમાં પણ લેતી દેતી ઉપર આધાર રાખવા પડતા હેાવાથી, ગમે તેટલે દૂરદૂર દેશ પડવો હાય છતાં, ત્યાં તે પહેાંચી જાય છે.૪૧ તેમાં પણ એટલું તે ખરૂ જ કે, તપેાતાના રાજ્ય વિસ્તારમાં અન્ય રાજ્યના સિક્કા આવવા દેવા કે કેમ, તે તે મુલકના રાજ કર્તાના નિખાલસ દિલ ઉપર, તેમજ તે તે મુલકના રાજકર્તાઓની અરસપરસની રાજનીતિ ઉપર અવલંબાયમાન રહે છે. એટલે સૌરાષ્ટ્રમાં અને ભરૂચના પ્રદેશમાં ભૂમકના તથા મિનેન્ડરના જે સિક્કાઓ મળી આવ્યા છે ( જો તે પ્રમાણે વસ્તુસ્થિતિ હોય તેા ) તે તેમના રાજ્યવિસ્તારનું –પરિણામ ગણવાનું નથી; પણ તે સમયે વેપાર વહેવાર તેટલે વિસ્તૃત અને મહેાળા ફેલાવા પામ્યા હતા તેમ કહેવાય અથવા તેા વધારે સંભવિત કારણ એમ પણ કલ્પી શકાય કે, ભૂમક પછીના તેના વશજોના જે અમલ તે પ્રદેશ ઉપર થયા હતા, તેમણે પેાતાના પુરા ગામી-પૂર્વજોના સન્માન અને ભક્તિ તથા પૂયબુદ્ધિને લીધે પોતાના અમલ દરમ્યાન પણ તે સિક્કાને ચલણરૂપે ચાલુ રહેવા દીધા હતા. આ પ્રમાણે અનુમાન કરવાને કારણ પણ છે. રાજ્યવિસ્તાર (૪૧) વર્તમાનકાળે આ સ્થિતિ દરેક દેશપર. દેરામાં નજરે પડે છે. દેશ કયાંય પડયા હાય અને તેના સિક્કો કયાંય દૂર દૂર વપરાતા દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૧ તે નહપાણના રાજ્યના વિસ્તાર વિચારતી વખતે નાસિકના શિલાલેખને ઉલ્લેખ કરીને ગૌતમીપુત્ર શાતકરણીની માતા રાણી ખળશ્રીના નામથી લખાયલા શબ્દો ઉપર વિવેચન કરતાં આપણે પૂરેપૂર સમજી શકીશુ. જ્યારે પોતે ક્ષત્રપ પદે હતા ત્યારે કે મહાક્ષત્રપ બન્યા પછી પણ, કોઈ સિક્કો ભૂમકે પોતાના નામે પડાવ્યા હાય એવું જણાતું નથી. આ હકીકત એમ અનુમાન ઉપર આપણને લઇ જાય છે કે, પાતે મેાટી ઉમરે મહાક્ષત્રપ અન્યા હાવાથી તેનુ દિલ માયાવી સંસારથી કેટલેક દરજજે વિરક્ત થઈ ગયુ હતુ અને પોતે નિરભિમાન પણે રહી નિરપેક્ષ વૃત્તિથી રાજકારભાર ચલાવ્યે જવાના વિચારવાળા થયા હતા. મતલબ કે, તેણે પોતાના આખા રાજવકાળ બલ્કે તેના માટેા ભાગ-શાંતિપૂર્વક રાજ્ય ચલાવી વેપારમાં વૃદ્ધિ કરી, પ્રજાની આખાદી અને સમૃદ્ધિમાં ઉમેરે કરવામાં જ ગાળ્યા લાગે છે. જે પ્રદેશ ઉપર તે સત્તા ભાગવતા હતા તેનું સ્થાન ભરતખંડની લગભગ મધ્યમાં આવેલુ હોવાથી તેને તે સમયે મધ્ય તેની રાજગાદી- દેશ'૪૨ તરીકે ઓળખવામાં નું સ્થાન આવતા હતા અને તેના રાજપાટને મધ્યમિકા નગરી કહેવામાં આવતી હતી એમ વિદ્વાનેનુ માનવું થયું છે. આ નગરીનું આવું નામ કયાંથી શેાધી કઢાયું તેની પૂરી માહિતી મળતી નથી, પણ તે નગરીનુ` સ્થાન વર્તમાન ચિતાડ અથવા તેની આસપાસના પ્રદેશમાં થેાડાક માઈલમાં ઠરાવાયું છે. જ્યારે મારૂ' માનવું એમ થાય છે (૪૨) જેને પ્રાચીન સાહિત્યમાં ‘મત્સ્ય” દેશ તરીકે પણ ઓળખાવાયા છે. (જીએ પુ. ૨, પૃ. ૬૬ ઉપર) www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy