SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ મિનેન્ડરનું [ દ્વિતીય મહાક્ષત્રપ તરીકે જ ગણાઈ છે; તેમ એ પણ ચક્કસ જ છે કે, તેણે ક્ષહરાટ સંવતની સ્થાપના ઈ. સ. પૂ. ૧૫૭ થી જ કરી છે. હવે જે તેણે ક્ષહરાટ સંવત ઈ. સ. પૂ. ૧૫૭ માં સ્થાપ્યો હોય, અને મિનેન્ડર પિતે તે બાદ છેડે સમય જીવંત રહી ઈસ. પૂ. ૧૫૬ માં મરણ પામ્યો હોય, તો એ બનવાજોગ જ નથી કે મિનેન્ડર પોતાના તાબાના ક્ષત્રપ સરદારને તેને સંવત્સર સ્થાપવા દે, હા, એક રીતે બને ખરું કે, ભૂમક પોતે આ સમય દરમ્યાન, પિતાના ઉપરી સામે બળવો ઉઠાવીને સ્વતંત્ર થઈ ગયો હોય; પણ તેવી કોઈ હકીકત અત્યાર સુધી ઈતિહાસનાં પાને ચડી હેય એવું આપણે જાણમાં આવ્યું નથી. એટલે એક જ સ્થિતિ માની લેવી રહે છે કે, મિનેન્ડરના મૃત્યુ બાદ જ ભૂમક મહાક્ષત્રપ થવા પામે છે અને ક્ષહરાટ સંવતેની સ્થાપના કરી છે, એટલે મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. ૧૫૮-૫૯ માં થયું ગણવું રહે છે. (૨) પંજાબ-તક્ષિલાના યેન સરદાર એન્ટીઆલસીદાસના એક પ્રતિનિધ નામે હેલીએ ડેરસે શુંગપતિ ભાગ-ભાનુમિત્રની કેટલેક અંશે તાબેદારી સ્વીકારી-કહે કે મિત્રી સંપાદન કરી. શુભેચ્છા પ્રાપ્ત કરી હતી એમ શિલાલેખથી જણાયું છે. આ ભાનુમિત્રને સમય આપણે ઈ. સ. પૂ. ૧૫૮ થી ૧૪ર ને આપ્યો છે; હવે જે મિને ડરને . સ. પૂ. ૧૫૬ સુધી જીવંત માનીએ તે તેનો અર્થ એમ થાય કે ૧૫૮ થી ૧૫૬ ના બે વર્ષ દરમ્યાન, મિનેન્ડરની હૈયાતીમાં જ તેના સરદાર એન્ટીઆલસીદાસે શુંગપતિની શુભેચ્છા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેવી સ્થિતિ મિનેન્ડર જેવો પરાક્રમી બાદશાહ ચલાવી લેવાનું સાંખી ન શકે, તેમ બીજી બાજુ, ભૂમક જેવો મિનેન્ડરનો ક્ષત્રપ, જીવતા જાગતે તે જ ભાનુમિત્રના રાજ્યની પશ્ચિમે અડોઅડ મધ્યદેશ ઉપર રાજ્ય હકુમત ભોગવી રહ્યો હતો, એટલું જ નહીં પણ તે ભૂમકે જ, આ ભાનુમિત્રના મોટા ભાઈ શુંગપતિ ઓદ્રક ઉર્ફે બળમિત્રને મારી નાંખીને કેટલેય મુલક પિતે મેળવી લીધે હતો. તેવો બાહુબળી ક્ષત્રપ ભૂમક પણ, જે એન્ટીઆલસીદાસ ઠેઠ પંજાબથી પોતાના પ્રતિનિધિને અવંતિપતિ શુંગવંશી રાજાની પાસે મોકલાવતો હોય, તે પિતાની હકુમતના પ્રદેશને વિધીને–ચીરીને જતાં જ અટકાવી દે, કેમકે જયાં સુધી પોતાનો બાદશાહ મિનેન્ડર છવત બેડે હેય, ત્યાંસુધી તેવાં હીણપતભર્યા પગલાંથી પિતાનું જ નાક વઢાયું છે એમ ભૂમક ગણી લ્ય એટલે માનવું રહે છે કે, મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. ૧૫૮ માં નીપજ્યા બાદ જ તક્ષિલાને પ્રતિનિધિ ઇ. સ. પૂ. ૧૫૮ માં અવંતિ ગયે હતો; અને આ સમયે, ન તેને ભૂસકે પણ અટકાવ્યો હોય (જે તેના પ્રદેશમાંથી તે જીતે હોય તો), તેમ નહોતું કેઈ મથુરાના પ્રદેશમાંથી વીંધીને જતાં તેને અટકાવનાર; કેમકે ત્યાંને શિરતાજ જે મિનેન્ડર હતા તે તો ક્યારનો રણમાં રોળાઈ ચૂક્યો હતો. તેમ તેની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ ગોઠવાઈ ચૂકી હોય એમ જણાયું નથી. મિનેન્ડરના જે સરદારે હગામ-હામાશ નામે હતા તે૫૪ તે તેની પૂર્વે જ લડતા લડતા મરી ગયા હતા એમ કલ્પી લેવું રહે છે, કેમકે જે તે હૈયાત હોય તે ખુદ મિનેન્ડરને પોતાને રણે ચડવાનું સરજાયું જ ન હોય. (૩) ભાનુમિત્ર શુંગવંશીનું ગાદીએ બેસવું ઈ. સ. પૂ. ૧૫૮ (૫૩) હવે પછી આલેખવામાં આવનાર તેના જીવનવૃત્તાંતે આ હકીકત પુરવાર કરી આપી છે તે જુઓ. (૫૪) આ હગામ અને હવામાશ વિરોનું વર્ણન આગળ ઉપર તૃતીય પરિસદમાં લખવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy