SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] જીવનવૃત્તાંત ૧૫૩ ઈ. સપૂ ૧૫૬ માં થયું હતું એમ આપણે આગળ ઉપર સાબિત કરીશું. એટલે તેનું રાજ્ય ૨૫ વર્ષ ચાલ્યું હતું તથા તે પોતે ૧૯ વર્ષની ઉમરે મરણ પામ્યા હતા એમ કહી શકાશે. તેનું નામ મિનેન્સર હતું, પણ તેને કેટ- લાયે ઇતિહાસકારોએ મિરેન્ડર નામથી પણ સંખે છે. તેમ બૌદ્ધ સાહિત્ય ગ્રંથ મિલિન્ડપમાં તેને મિલિન્દ નામથી ઓળખાવ્યું છે, જ્યારે તેનું હિંદી નામ મિલિન્ડા હતું. તેને સત્તાકાળ ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૬ સુધીના ૨૬ વર્ષ ૨૩ પર્યંત ચાલુ રહ્યો હતો. ડિમેટ્રીઆસના વૃત્તાતે તેનાં પરાક્રમ જણાવાયું છે કે, પુષ્યમિત્રની સરદારી આગેવાની, રાહબરી નીચે યુવરાજ વસુમિત્ર, યવન સરદારને પંજાબમાંના મદ્રદેશના કાંઠે ૧૪ સપ્ત ધાર આપવાથી તેઓ પિતાની આપવિતિ પોતાના રાજાને કાનેકાન સંભળાવવાને સ્વદેશે ઉપડી ગયા હતા. તે પછી પુષ્યમિત્રની હાજરીમાં પતંજલી મહાશયે અશ્વમેવ યણ સંપૂર્ણ કર્યો હતે અને તે બાદ થોડાક સમયે જ ઈ. સ. પૂ. ૧૮૮ માં પુષ્યમિત્ર મરણ પામ્ય હતું. ત્યાંસુધી નથી ડિમેટ્રીઆસની હાજરી કે નથી મિનેન્ડરનું હિંદની ભૂમિ ઉપર ઊતરવું પણ ઉપર વર્ણવેલ પરાજયના સમાચાર બેકટ્રિીઆમાં ફરી વળ્યા ત્યારપછી જ ડિમેટ્રીઅસ પિતાના સરદાર હેલીઓ કલ્સ અને મિનેન્ડરને લઈને હિંદમાં પ્રવેશ્યા છે. એટલે કેટલાક વિદ્વાનોનું જે (૨૩) એ. હિ. ઈ. પૃ. ૧૨૩:- ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૪=૩૦ વર્ષ જણાવ્યા છે. (૨૪) ચિનાબ અને ઝેલમ નદી વચ્ચે પ્રદેશ. આ પ્રાંત હિમેટ્રીઅસ અને અનિમિત્રની સત્તાની સીમાએ આવેલ હોવાથી યવન સુંદરીને ડિમેટીસે યુવરાજને પ્રલોભનાથે ફરી મૂકી હતી. એમ માનવું થાય છે કે, પુષ્યમિત્ર અને મિને ડર સમકાલીન હતા તે વાત અસ્વીકાર્ય છે; તે પણ એટલું આપણે જરૂર સ્વીકારી શકીશું કે જ્યારે પુષ્યમિત્ર ઈ. સ. પૂ. ૧૮૮ માં એસી વરસની ઉમરે મરણ પામે ત્યારે મિનેન્ડરને જન્મ તે થઈ ચૂમે જ હતે. એટલા માટે તે બનેને તેટલે દર જે સમકાલીન કહી શકાય. પણ મિનેન્ડરે પોતાની રાજકીય જિંદગી ઈ. સ. પૂ. ૧૮૮ ની પૂર્વે શરૂ કરેલી નહીં હોવાથી, તે બંનેને આપણે ઈતિહાસની દૃષ્ટિથી સમકાલીન લેખવા રહેતા નથી. તેમ રાજા ડિમેટ્રીબસ ભલે ગાદીપતિ બની ચૂકયો હતો અને તેથી રાજકીય જિંદગીમાં પ્રવેશી ચૂક્યું હતું છતાં તેણે હિંદની ભૂમિનાં દર્શન કરેલ નહીં હોવાથી તેને પણ પુષ્યમિત્ર સાથેના યુદ્ધમાં સમેવડિયા તરીકે લેખી શકાય નહીં. મતલબ કે, પુષ્યમિત્રને અને યુવાન વસુમિત્રને યવને સાથેના પ્રથમ યુદ્ધમાં જે યશ મળ્યો છે તે, સશે તેમની કૌશલ્યતાને લીધે જ હતા એમ ખુલ્લા દિલથી કહેવાને બદલે એમ પણ કહી શકાય કે ડિમેટ્રીઅસ અને મિનેન્સર જેવા યુદ્ધનિપુણ સરદારોની ગેરહાજરીને લીધે પણ હશે. આ આપણું અનુમાનને અનેક અન્ય બનાવથી ટકે પણ મળે છે; કેમકે પુષ્યમિત્રના મરણ બાદ, રાજા ડિમેટ્રીઅસ અને સરદાર મિનેન્ટરે બેકટ્રીઆમાંથી આવી મદ્રદેશના કાંઠે આવેલ૫ સાકલની રાજધાની પ્રથમ મજબૂત કરી લીધી હતી. અને આગળ વધી ઠેઠ સતલજ (૨૫) હાલનું શિયાલકેટ: રાજા ડિમેટીઅસેજ ત્યાં પ્રથમ ગાદી કરી હતી. જ્યારે કેટલાક વિદ્વાનોનું ધારવું થયું છે કે તેના પિતા યુથીડીયેસે કરી હતી. Iud. His. Quart. V; P. 404 :-Even if Merander is ignored aud Demetrius, son of Euthedeinos is recognised as the Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy