SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) નયમાર્ગદર્શક. આવ્યા હાય તા, એ સાત નયને ધર્મના સ્વરૂપમાં ઘટાવ જોઇએ. જિજ્ઞાસુ, ભગવન્ જેવી આપની આજ્ઞા. આ જગમાં સર્વે ધર્મને ચાહે છે અને તેથી સર્વ ધર્મને તેઓ ધર્મને નામે ખેલાવે છે. એ નેગમનય છે. જે અનાચારને છેડી કુલાચારને ધર્મ માને— એટલે જે વિડલાએ આચરેલા તે ધર્મ એમ માને, તે સ’ગ્રહ નયના મત છે. જે સુખનું કારણ, તે ધર્મ કહેવાય એટલે જે પુણ્યરૂપ કરણી, તે ધર્મ—એ વ્યવહાર નયના મત છે. ઉપચેગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્ય રૂપ પરિણામ તે ધર્મ— એ ઋજીસૂત્ર નયના મત છે. નયચંદ્રે પ્રશ્ન કર્યાં, વત્સ, વૈરાગ્યરૂપ પરિણામ' એ શુ' ? તે - બરાબર સમજાવ. જિજ્ઞાસુ, પિતાજી, હું યથામતિ જે સમજ્યા છું, તે કહું છું, વખતે મારા સમજવામાં કાંઈ ભુલ થાય તા આ મહાનુભાવ સૂરિવર સુધારવા કૃપા કરશે. સૂરિવર—વત્સ, તારી બુદ્ધિ પ્રમાણે જે આવડે, તે કહે. જિજ્ઞાસુ, જે યથા પ્રવૃત્તિ કરણરૂપ પરિણામ, પ્રમુખને, ધર્મ કરી માને છે અને તે તા પેહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય— એ પ્રમાણે અનુસૂત્ર નયને મત છે. સૂરિવર પ્રસન્ન થઈને માલ્યા—વત્સ, તને ધન્યવાદ ઘટે છે. તે' શ્રૃજીસૂત્ર નયને મત ઘણી સારી રીતે સમજાયૈ. હવે આગળ ચલાવા. જિજ્ઞાસુ—જે અ‘તર’ગ સત્તાગતના ભાસનરૂપ સમ્યકત્ત્વ તે ધર્મ છે, એટલે જે સમ્યકત્ત્વ છે, તે ધર્મનુ મૂલ છે, એમ જાણવું, તે શનયના મત કહેવાય છે. જીવ, અજીવરૂપ નવતવ, ષટ્ટુન્ય, નય, નિક્ષેપા, પ્રમાણુ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય—ભાવનું સ્વરૂપ જાણી જીવ સત્તાનું ધ્યાન કરવું અને અજીવ સત્તાના ત્યાગ કરવા, અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામને ધર્મ જાણે—તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy