SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તો દ્વાર ગુરૂદેવ વિજયનિતિસૂરીશ્વર શ્રીની શુભ લાગણી જે ચિત્તોડ પ્રત્યેની હતી. તે લાગણી તેઓશ્રીના શિષ્ય મંડળે પણ ઉપાદ્ધ લીધી. આચાર્યશ્રી હર્ષસૂરિશ્વર મહાહાજ, આચાર્યશ્રી ઉદયસૂરિશ્વર મહારાજ, આચાર્યશ્રી હેમેન્દ્રસૂરિ મહારાજ, આચાર્યશ્રી કલ્યાણસૂરિશ્વર મહારાજ, પંન્યાસશ્રી સંપતવિજય મહારાજ, તથા પંન્યાસશ્રી અશોકવિજયજી મહારાજ, તેમજ પંન્યાસશ્રી ચરણવિજય મહારાજ વિગેરે સર્વ સાધુ મંડળે પણ પોતાનાથી બનતી મહેનત કરી. મેવાડના કાર્યને સંગીન બનાવવા સુંદર ફાળો આપ્યો છે. અને આપે છે આ સિવાય ગુરૂદેવની ઈચ્છા મેવાડની હકીકતનો એક ઈતિહાસ બહાર પાડવાની થઈ અને ગુરૂદેવે તે કામ મને . મેં મારી શક્તિ અનુસાર તમામ મેવાડના જૈન તિર્થોના લગતી તમામ ઈતિહાસિક નોંધને સંગ્રહ કરી, સને ૧૯૩૯ નાં મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન નામને ગ્રંથ બહાર પાડ. તે ગ્રંથમાં જૈન મંદિરોના, ભામાશાહના તેમજ મહારાણા શ્રી પ્રતાપની તેમજ કર્મશાહની મહામંત્રી દયાળશાહ વિગેરેની તમામ હકીકતો તેમાં પ્રગટ કરી. અને જૈન સમાજના ચણે કર્યો. તે ઈતિહાસિક ગ્રંથને શ્રી નામદાર શ્રીમંત મહારાણા શ્રી ૧૦૮ શ્રી સર ભેપાળસિંહજી સાહેબ બહાદુર વખા અને ઉત્તેજન આપ્યું. તે પછી આ સાલમાં બીજી આવૃતી સુધારા વધારા સાથે બહાર પાd. તે ગ્રંથથી જનતામાં જાગૃતી આવી અને મેવાડના માટે લેકની ભાવના મેવાડ પ્રત્યે વધવા લાગી અને તે ગ્રંથની કરી માગણી જનતા તરફથી થઈ આ જગૃતી કાયમ રહે, અને જન સમાજ ધર્મથી વિમુખ ન થાય, તેના માટે આચાર્ય શ્રી વિજ્યકલ્યાણસૂરિશ્વરે જ્યારે મુંબઈ ગોજીના ઉપાશ્રયે ચામાસુ કર્યું તે વખતે મેવાડ અને ચિત્તોડના માટે મુંબઈની જનતામાં પ્રચાર કર્યો અને મને પણ તે પ્રચાર માટે મુંબાઈ બોલાવ્યો. અને મેવાડમાં એક બેડીગ સ્થાપવી, તેમ નક્કી કર્યું. તે વખતે મુંબઈના ગૃહસ્થાએ પચાસ હજાર રૂપીયાનું ફંડ ભેગુ કરી, અને મુંબઈના જ શેઠ. ભાઈચંદભાઈ ઝવેરી. શેઠ. મુલચંદભાઈ બુલાખીદાસ, શેઠ. શાંતિલાલ મગનલાલ તેમજ અન્ય સદગૃહસ્થોની કમીટી નક્કી કરી, તે બેડીંગની શરૂઆત કરી. તેમાં લગભગ ત્રીસ-ચાલીસ વિદ્યાથીઓ આજે ચિત્તોડ મુકામે ભડગમાં અભ્યાસનો લાભ લે છે. આશા છે કે આ મોડીગ માટે દરેક ગૃહસ્થ સારામાં સારી ઉદારતા બતાવશે. ગુરૂદેવના શુભ આશીર્વાદથી તેમજ શેઠ. ભગુભાઈ ચુનીલાલ, તેમજ શેઠ. ત્રીકમલાલ મગનલાલ સુતરીયા તથા ઉદયપુરની કમીટીવાળા શઠ રોસનલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy