SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનની અતિહાસિક નોંધ સન્માનીત થયા. ઉપાધ્યાય ભાનુવંદે અકબર પાસે સંસ્કૃતમાં “સૂર્ય સહસ્ત્રનામ” બોલતા એટલે અકબર તેના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ત્ર નામે શ્રવણુ કરતી સિદ્ધિચંદ્ર પણ બાદશાહને રંજિત કરેલ અને બાદશાહે પછી સિદ્ધાચલ પર મંદિર બંધાવવાને જે નિષેધ કર્યો હતો તે તેની પાસેથી દૂર કરાવ્યો હતો, યાવની એટલે ફારસી ભાષાના ઘણા ગ્રંથે પ્રતિભા ગુણથી અધિક જાણીને બાદશાહને ભણાવ્યા હતા, વળી સિદ્ધિચંદ્ર શાંતિચંદ્ર સમાન શતાવધાની પણ હતા, ને તેના પ્રાગ જોઈ તેમને પણ બાદશાહે “ ખુશફહેમ ” ની માનપ્રદ પદવી આપી હતી, એકવાર બાદશાહે બહુ સ્નેહથી, એમને હાથ પકહીને કહ્યું “ હું આપને પાંચ હજાર ઘેડાના મનસબવાળી માટી પદવી અને જાગીર આપું છું તેનો સ્વીકાર કરીને તમે રાજા બને અને આ સાધુવેષને ત્યાગ કરે, એ પોતે બહુ સુંદર રૂપવાળા હતા પાસ્ત્રોના જ્ઞાતા. સ્વગુરૂના અતિ ભક્ત હતા. (જે સા. ઈ. પૃ ૫૫૪) (૫૮) આવી રીતે હીરવિજયસૂરિ પોતે તેમજ તેમના ઉપર્યુક્ત શિષ્ય પ્રશિષ્યએ તેમજ ખરતર ગચછના જિનચંદ્રસૂરિઆદિએ સમ્રાટ અકબર –પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળે કર્યો હતો તેમાં કિંચિત્તમાત્ર શક નથી એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલ ફરમાને (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે) પરથી તેમજ અબુલફજલની આઈને અકબરી, બહાનીના અલબદાઉનિ, અકબર નામા વિગેરે મુસલમાન લેખકોએ લખેલા ગ્રંથ પરથી સપષ્ટ જણાય છે, ( જે. સા. ઈ. પૂ. પપદ (૫૯) સમ્રાટ અકબર એક વિચારશીલ તથા દેશહિતેષી પુરૂષ હતો. તે ઘવાર કહેતો કે “ જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય. ” (આઈને ૩ પૃ. ૩૮૬) વળી “ લે ગમે તેટલા હોય અને ગમે તેટલી ભિન્નતાવાળા હોય તો પણ જે તેમને સત્યના સુદઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમની વચ્ચે એકવાક્યતા કિંવા યથાયોગ્ય સંમેલન થયા વગર રહે નહિ”(આ. અ. ૧, પૃ. ૧૨) સર્વ ધર્મોની જાહેરમાં સમાલોચના થઈ શકે એટલા માટે ફત્તેહપુર સીકી ખાતે એબાદતખાના ”(પ્રાર્થના ગ્રહ) ની સ્થાપના કરી હતી. ઉકત મંદિરમાં (સને. ૧૫૭૮ સં. ૧૯૩૫) (૧૬) બ્રાહ્મણોની માફક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વદિશા તરફ મુખ રાખી ઉભો રહે અને સૂર્યની આરાધના કરતા તેમજ તેનાં સહસ્ત્રનામાને પણ સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચાર કરતો બદાઉનિ ૨, ૩ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy