SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મેવાડના અણુમૈલ જવાહિર યાને આત્મબલિદાન આગળ સિ ધીયાઓના સરદાર આલિમેગે' કહ્યું કે મહારાજ અમારી થએલી ભૂલની ક્ષમા કરે. અને તમારા ખાધેલા નીમકના બદલા અમારા પ્રાણ આપી મેવાડની રક્ષા કરી વાળીશું. ઉદયપુર માટે અમારા પ્રાણુ વિસર્જન કરવા તૈયાર છીએ. અને અમારે પગારની જરૂરીયાત નથી. ' જ્યારે ખાવાના પદાર્થો ખૂટી જશે તે પછી અમેા મરાઠાના સૈન્ય ઉપર ભૂખ્યા વરૂની માફક ત્રુટી પડી મેવાડની આખરૂ સાચવીશું. સિધો લેાકેાની આવી દૃઢ પ્રતિજ્ઞા સાંભળી રાજાની આંખમાં અશ્રુ આવ્યાં અને પાષાણુ પણુ પ્રવાહી બની ગયા. વજામાં પણ મૃદુતાના સંચાર થયા. જ્યારે રાજાનું હૃદય પીગળી ગએલું જોઇ રાજપૂતા અને સિંધીયા એક સાથે રાજાનેા જય જયકાર કરવા લાગ્યા. ધન્ય છે અમરની બુદ્ધિને ? આ પ્રમાણે અમરે પેાતાની ચાણકય બુદ્ધિથી બધાને મહાત કરી મેવાડની શેાભા વધારી અને એકય રૂપી બળ મજબૂત કરી સારૂ સૈન્ય અને રાજપૂતા એકદમ ભયંકર ગના સાથે દુષ્ટ દુરાચારી સિંધીયાની ધસી આવેલી સેના ઉપર તૂટી પડયા. અને મહા ઘેર રણસંગ્રામ ચલાવ્યે જ્યારે ઘાસની મા સિંધીયાનું સૈન્ય કપાવવા લાગ્યું ત્યારે સિંધીયાએ હતાશ થઈ ગયા. અને જ્યારે પેાતાને વિજયની કેાઈ પણ જાતની આશા રહી જ નહીં. ત્યારે શૂરવીર રાજાપૂતાની શમશેરના ઘા અને તાપેાના અવાજ આગળ સિંધીયાનું લશ્કર લાચાર અની ગયું. આખરે સિંધીયાએ અમરચંદની સાથે સંધી કરવા અરજ કરી. અમરચ ંદને આ વિજય પ્રાપ્ત થએલા હાવાથી તેને મહારાષ્ટ્રી કહેણુ માકહ્યું કે “ છ માસ સુધી અમને લડાઈમાં જે ખર્ચ થયું છે તે તમામ ખર્ચે તમારે આપવું પડશે. જો આ શરત તમારે મંજીર હાય તે હું સધી કરવા તૈયાર છું. ” અમરચંદની આ માંગણી આગળ સિંધીયાને મસ્તક નમાવવું પડયુ અને અમરચંદની સાથે સંધો કરી. પર આ ખુશાલીમાં સરદારાને ઘણી નવાજેસે અને મક્ષીસા આપી અને સરદારાની અકયતા મજબૂત થઇ. અમરચંદના શુભ પ્રયાસથી મેવાડની શેાલામાં વૃદ્ધિગત થઇ સંવત ૧૮૨૫ થી ૧૮૩૧ સુધી સધિપત્ર પ્રમાણે કા` થયુ` અને તે પછી સિંધીયાએ રાણાજીના કમ ચારીઓને દૂર કર્યો, આથી મેવાડ રાજ્યના જુદા જુદા પ્રગણાં અલગ થઇ ગયાં. સંવત ૧૮૩૧ માં. જેમ વિધી અનુસાર સર્વના દિવસે એક સરખા જતા નથી તેમ સિંધીયામનુ ભાગ્યચક્ર બદલાયું ત્યારે સમય જોઇ મહારાણાએ ઘણાં પ્રગણાંઓ પર પેાતાના અધિકાર સ્થાપિત કર્યા, પણ તે અધિકાર જૂજ વખત રહ્યો. સ’. ૧૮૩૧ માં તે તમામ પ્રગણુાએ જતા રહ્યા હતા. મરાઠાઓનો મહાબળવાન સરદારીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy