SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. આ પારિગ્રાફ લખીને તે ફેંટર શાહે હદજ વાળી છે. રૂદ્રદામાએ જે વિશાળતાથી ને હૃદયની ઉદારતાથી બીજાના નામે પોતાની પ્રશસ્તિમાં કોતરાવ્યાં છે તેને ફેંકટર મહાશય સ્વાર્થ, પાખંડ ને કૈભાંડ તરીકે ઓળખાવે છે. આ ઝનૂનની પરાકાષ્ઠા નહીં તે બીજું શું ? એક તરફથી કહે છે તે પ્રશસ્તિ રૂદ્રદામાએ કોતરાવી નથી, બીજી વખત કહે છે રૂદ્રદામાએ પ્રશસ્તિ કતરાવી તો ખરી પણ અડધી શાલિશુકે અને અડધી રૂદ્રદામાએ કેતરાવી, વળી ત્રીજી વખત કહે છે કે પ્રશસ્તિ તે રૂદ્રદામાએજ કેતરાવી પણ તે મિર્યવંશી રાજાઓની દંતકથાથી આકર્ષાઈને તેમનાં સત્કાર્યોને ઉલ્લેખ કરવાનું તેને મન થઈ આવ્યું માટે કેતરાવી. આ અસંબદ્ધ પ્રલાપ કરવાનો હેતુ શો હશે તે તો લેખક જાણે પણ એ ઈતિહાસને મોટામાં મેટે દ્રોહ છે એ તેમણે સમજી લેવું ઘટે. મૌર્ય સમ્રાની દંતકથાઓથી આકર્ષાઈને તેમના કાર્યોનો ઉલ્લેખ કરવા માટે એ પ્રશસ્તિ કતરાવી હોય એમ માનવામાં આવે તે શું મૌર્ય સમ્રાનું આ તળાવ બંધાવવાનું એકજ સત્કાર્ય ઈતિહાસમાં મળ્યું છે શું ? આમ લખીને મૌર્ય સમ્રાર્ની મહત્તા બતાવવા માગે છે કે તેમના ઈતિહાસને કલંકિત કરે છે. કારણ કે આ પ્રશસ્તિ તો સુદર્શન તળાવની છે. કોઈની ખેતી કીર્તિ વધારવા જતાં તેને બદનામ કરાય છે કે ગુણ ગવાય છે? વળી રૂદ્રદામાને શિલાલેખ તે હેત તો તેણે જુદાજ ખડક ઉપર કતરા હેત એમ લખીને લેખક એમ બતાવવા માગે છે કે ઝસ્કન્દગુપ્તને તેજ ખડક ઉપર શિલાલેખ પણ રાજા પ્રિયદર્શનોજ છે ? કારણ કે સ્કન્દગુપ્ત પણ બીજો ખડક શો નથી. તેણે પણ અશોક રોક ઉપરજ પિતાનો લેખ કોતરાવ્યું છે. તે સના ખડક જુદાજ હોવા જોઈએ એ કાંઈ નિયમ છે ? જ્યાં કોતરવા લાયક જગ્યા મળી જાય ત્યાં શિલાલેખ કેતરી શકાય. પરંતુ તેથી કેઈના ઘરમાં કોઈનો સામાન મૂકી રાખે તો તે સામાન ઘરધણીને થાય નહીં. આવી બાલિશવૃત્તિઓ હવે છોડી દેવી જોઈએ. “પંક્તિ નવ અને દશમીમાં જે લખાયા વિનાનો ભાગ રહી ગયો છે, તેમાં મહારાજા પ્રિયદર્શીનનું નામ લેવું જોઈએ. કારણ કે તે સમ્રાટું અશક પછી તુરતજ રાજ્યારૂઢ થયેલ છે. પ્રા. ભા. ૨/૩૯૭. આગળ હું કહી ગયા કે પ્રિયદર્શી એ અશોક પછી ગાદીએ આવનાર જુદે કોઈ રાજા જ નથી પણ અશોક પિતેજ પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો. અર્થાત પ્રિયદર્શી એ $અશોકનું જ બીજુ નામ છે લેખકે ૨/૨૮૨ ઉપર તેની ભિન્નતા વિષે * પ્રા.ભા. ૨ પૃ. ૩૯૭ ઉપર સમુદ્રગુપ્તને શિલાલેખ એ પ્રમાણે લખ્યું છે તે બેઠું છે. સ્કન્દગુપ્ત જોઈએ. $ લેખક સંપ્રતિ ને પ્રિયદર્શ માનતા હોય તો તે ભ્રમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy