SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. ક્ષત્રપ એ પદવી કે કુલ? મૂળે ક્ષત્રપ કે મહાક્ષત્રપ એ પદવીજ-સૂબાગિરીજ લેખાતી હતી. સૂબાને ક્ષત્રપ અને સરસૂબાને મહાક્ષત્રપ કહેતા હતા. પરંતુ ઇતિહાસથી તો એમ દેખાય છે કે રૂદ્રદામાએ કેઈને સૂબો કે સરસૂ ન હતું. તે તે સ્વતંત્ર રાજા, ચક્રવતી જેવો હતો. કારણ કે તેણે પોતે બાહુબળથી જ પોતાના રાજ્યને વિસ્તાર વધાર્યો ને ટકાવ્યું, છતાં તેણે પિતાને મહાક્ષત્રપ તરીકેજ લેખાવ્યો છે. તે પછી તેના ઉત્તરાધિકારીઓ પણ રૂદ્રદામાના સ્વતંત્ર રાજ્ય ઉપર અધિકાર ભેગવી ગયા છે એટલે તેઓ પણ કોઈનાં સૂબા કે સરસૂબા ન હતા છતાં તેમણે પણ ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે જ પોતાને ઓળખાવ્યા છે. એટલે કે રૂદ્રદામાથી લઈ કરી બધા રાજાઓએ પોતાને સ્વતંત્ર રાજાઓ હોવા છતાં ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે જ ઓળખાવ્યા છે. અર્થાત ક્ષત્રપ શબ્દ માત્ર એક સૂબા તરીકે નહી પણ કેઈએક સ્વતંત્ર પદવી શાખા અથવા કુળ તરીકે ચાલુ કર્યો લાગે છે વળી પાછળથી તેઓ ક્ષત્રપરાજા તરીકે ઓળખાયા છે. એટલે પાછળથી ક્ષત્રપ એ શાખા કે કુળ વાચક શબ્દ રૂઢ બની ગયો છે. શક રાજાઓને ધર્મ આ શક રાજાઓના ધર્મ વિશે, ખાસ વિશેષ જાણવામાં આવ્યું નથી, પરંતુ જાનાગઢમાંથી મળી આવેલા એક શિલાલેખથી એવું સમજાય છે કે એ શિલાલેખ જૈનધમને હોવાનો સંભવ છે. એ લેખમાં કેતરાવનારનું નામ સ્પષ્ટ રીતે વાંચવામાં આવતું નથી પણ તેના પ્રપિતામહ ચછન તથા પિતામહ જયદામાનો પત્ર એમ વંચાય છે, ચૈત્ર સુદ ૫ ની મિતિ સ્પષ્ટ વંચાય છે વર્ષ ઉકેલાયુ નથી, પરંતુ એ ઉપરથી તે દામજદશ્રી અથવા રૂદ્રસિંહ હોવો જોઈએ એમ અનુમાન કરવાનું કારણ છે. તે જેને હવાને ઘણું સંભવ છે. બકે તેના પૂર્વ ઉપર પણ જેનધર્મની સારી છાપ પડી હોય તો તે સ્વાભાવિક છે. કારણ કે જૈનાચાર્ય કાલરિ સાથે તે લોકો ભારતમાં આવ્યા હતા, તેઓ તેમના નેતા અને અગ્રણી રહ્યા છે, તેમને ઘણુ સહાય કરી છે અને ગર્દી ભિલ્લની ગાદી પણ શકોકોને તેમણે અપાવી છે એવા એક ધુરંધર આચાર્યને ધાર્મિક પ્રભાવ પણ આ લેકે ઉપર પડવાનું સુલભ છે. - જે કે બીજા રાજાઓની ધાર્મિક વલણ સંબંધી વધુ જાણવામાં આવતું નથી. પણ દામજદશ્રીના કે રૂદ્રસિંહના આ શિલાલેખે કંઈક દિશા બતાવી છે. તે શિલાલેખ “Antiquities of * શિલાલેખની મૂળ નકલ આ પ્રમાણે છે. ૧ ...રૂં ...ક્ષેત્રપ.... ૨ [ સ્વામિ ] વઢનચ x[ Gૌ ]ત્રસ્ત્ર તા: ક્ષત્રય વનયવમત્ર તો મહાલ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy