SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ સ્થિતિ તમારા જાણવામાં આવી ગઈ છે પરંતુ નાયિકાની સ્થિતિ કેવી હતી? તે હવે આપણે જોઈએ. અરેરે ! તે બિચારી ભગ્રહદય મુગ્ધાકુમારીની સર્વ તરફથી નિરાશા થઈ હતી. લલિત ઉપર પિતાને પ્રેમ છે ખરે કે? એ બાબતમાં તેને પ્રથમ નિશ્ચય નહતા. પણ તેનું દર્શન અચાનક બંધ થતાંજ તેને ખરા પ્રેમની કલ્પના આવવા લાગી. હમણાં હમણું લલિત શિવાય તેને કોઈપણ સુઝતું નહતું. તેની તમામ ક્રિયામાં તેને હદયવલભ લલિત તેને દેખાઈ આવતેતેને એક વખત જોઈ આવું, તેની સાથે ડી પ્રેમની વાતચીત કરી આવું અને તેને હિંમત પણ આપી આવું, એમ વારંવાર તેના મનમાં આવતું પરંતુ પિતાના પિતાની ક્રોધાંધ અને ઉમાતિ પ્યાનમાં આવતાં જ તેના વિચારે કોણ જાણે કયાંએ ઉડી જતા ! અને તે નિરાશ, હતાશ અને નાહિંમત થઈ જતી. આમ વારંવાર થઈ આવવાથી તે હમણાં હમણાં લલિતની બાબતમાં સંપૂર્ણ નિરાશ થઈ હતી. ગમે તેમ થાય છતાં પિતાનું વચન-આજ્ઞા-પોતે માન્ય કરવું જ જોઈએ, એ વાત તે પિતૃભક્તપુત્રીના જાણવામાં હતી. વચમાં વચમાં તે લલિતને ભૂલી જવાની કોશીશ કરતી પરંતુ હજુ સુધી તેમાં તેની ઇચ્છા પૂર્ણ થઈ નહોતી. છેલા બે ત્રણ દિવસથી તે પિતાના ઓરડામાંથી બહાર પણ આવતી નહીં. દિવસે દિવસે તેની સ્થિતિ શોચનીય થવા લાગી. પહેલાંનું તેનું આનંદજનક અને પ્રકુહિલા મુખકમલ કયાં અને અત્યારેની કરમાઈ ગએલી અને દુઃખથી વ્યાપ્ત થએલી મુખમુદ્રા કયાં!! બન્નેમાં અવની અને આકાશ જેટલું અંતર પડી ગયું હતું. તેની સ્થિતિ બહુજ શોચનીય થઈ ગઈ હતી. તે જ્યારે ને ત્યારે ઉદાસ દેખાતી. હમણાં હમણાં તે તે બહુજ થોડુ બોલતી. તેની દાસી મધુરી તેને આનંદ થવા માટે અનેક પ્રયત્ન કરતી પરંતુ તેને જરાએ ઉપયોગ થતો નહિ, અજયમાં આવી રહેલા સરદાર સર્જનસિંહની ઉપર પ્રમાણેની સ્થિતિ હતી. એક દિવસે કિલ્લામાં એક સ્વાર એવા ખબર લઈ આવ્યો કે-કિલ્લાને માલિક અહીંથી છ સાત ગાઉના છેવટના મુકામ ઉપર આવી પહોંચ્યો છે અને તરતમાં જ તે અહીં આવી પહોંચશે. તે ખબર સાંભળતાં જ સજજનસિંહ પિતાને પુત્ર અને બીજા પણ કેટલાક માણસે લઈ સરદાર દુર્જનસિંહને માન આપવા તેની સામે જવાની તૈયારી કરવા લાગ્યું. તેણે પિતાની પુત્રીને તેવા ખબર આપવા એક માણસને મેદ અને પિને પિતાના પુત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy