________________
૧૮૬
એ આશા આકાશમાંથી પુષ્પ ચુંટવા જેવી છે.” “હું જઇશ કે તે તું કેમ નથી બદલાતે ?”
“સરદાર ! ખાંડ ખાજે ખાંડ !” - “ શું પ્રભાવતીની પ્રાર્થનાને તારા મનમાં કાંઈ પણ માન નથી? તે દિવસે તારે અહીથી ચાલ્યા જવું અને આ કષ્ટમય કેદખાનામાંથી છુટકારો મેળવી લે, એ માટે તેને પ્રભાવતીએ પત્રદ્વાર જે જણાવ્યું હતું તેજ આજે પણ ફરી તને જણાવે છે.”
“તેના મુખેજ તેને મત સાંભળ્યા વિના હું કાંઈ પણ કહી શક્તિ કે કરી શકતા નથી.”
“ એકંદર રીતે તારી ઇચ્છા પ્રભાવતી કે જેની સાથે મારે વિવાહ નિશ્ચય થઈ ગયો છે તેને એકાંતમાં મળવાની છે; પરંતુ લલિત ! આ વાત તને કલંકરૂ૫ છે. ” લલિત તરફ તિરસ્કારથી જોતે દુર્જન બોલ્યો. - “પ્રભાવતીને મળવું, શું એ લાંછનાસ્પદ છે? ઠીક છે, કાંઇ ફિકર નહીં. સરદાર! જે તમે મારા આ પ્રશ્નનો જવાબ હામાં જ આપતા, હે તે પછી તેને મત કે પ્રાર્થના મને કહી સંભળાવવાની શી જરૂર હતી ?”
“ લલિત ! હવે તું મર્યાદાનું ઉલ્લંધન કરે છે.” તેમ કરવાની તમે મને ફરજ પાડે છે. ”
એ મૂર્ખ ! હું તને મારા હુકમ મુજબ કામ કરવાની ફરજ પાડીશ.”
“સરદાર! જેઇશું કે શું થાય છે?”
લલિત ! હવે હું તને એકજ વખત છેવટનું કહું છું કે–પ્રભાવતીના અને મારા મત મુજબ તારે એક ક્ષણને પણ વિલંબ ન કરતાં મારા પ્રદેશની હદની બહારબંગદેશમાં–એકદમ ચાલ્યા જવું, એમ કરી કુમાર ચંદ્રસિંહના ખૂન માટે થનાર દેહાન્ત શિક્ષા તારે ટાળી દેવી. જે તને આ પસંદ ન હોય અને તું તારી જીદ્દી સ્વભાવ નજ છોડવા માગતા હોય તે પછી મારા જેવો ખરાબ માણસ દુનિયામાં બીજો કોઈ નથી, એ તું ચોક્કસ માની લેજે.”
વારૂજી, પણ તમે કરશે શું?”
હું પ્રથમ તે તારા પ્રેમપંથમાં હરીફ થઈશ અને ગમે તેમ કરી તારું જીવન હરી લઈશ, મારા ગુસ્સાની સામે લલિત ! તું ટકી શકીશ નહિ, એ ધ્યાનમાં રાખજે.” લલિત કાંઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com