________________
૧૭
ત્રેવીશમા દેવ મતિ ધરે, કુશળ ખેમિ પુરતાં પ્રવહણ ધરે. મંગલાર હતાં સંચરીયાં, ભનરિ સાપારે ફરિયા; પૂજ્ય સકલ સામિ થાંભણુાં, અજી મનેારથ છે ઘણાં. ડુંગર શ્રાવકકૃત ખંભાત ચૈત્યપરિપાટી કે જે વિક્રમના સેાલમા સૈકામાં લખાયેલી છે તેમાં નીચેના ઉલ્લેખા મળે છે:
ઉદાવસહી, કાલ્હાવસહી, થિરાવસહી કે જ્યાં અનુક્રમે સ્થ'ભણુજી, પાર્શ્વનાથ અને શાંતિનાથના દેરાસરા છે, શેઠિપાડા (અજીતનાથપ્રભુ) ધનઈશાહષ્કૃત મહાવીર, અષ્ટાપદજીનું દહેરૂં (ચાવીસ જિન); બપ્પભટ્ટસૂરિથી અણાયેલ નેમિનાથ, પૂનમી દેહરે (આદીનાથ), પદ્મવાલી (ચંદ્રપ્રભ), ખારવાડામાં (સીમંધર), પૂજા સધવીને દેહરે (આદિશ્વર) રાજહંસ પડયા પાડે (પાસજિન, મલ્લિનાથ અને અરિષ્ટનેમિ), ભૌયરામાં આદિનાથ), નાલિગ (સુમતિનાથ), વીરાધાનઇ (આદિનાથ); મુહુરવસહી (પાર્શ્વનાથ), ખરતરવસહી (અજિતનાથ), આલિગવસહી (આદિનાથ), સુરતાપૂરિ (શાંતિનાથ), શાળવીવાડા (પાર્શ્વનાથ); પીરેાજપૂર (સુમતિનાથ), મહમદપુરી (આદિનાથ). ઉપર્યુક્ત નામેા પરથી આજના પાડા, વાડાના પ્રાચીન નામેા તેમજ અસ્તિત્વ ધરાવતા ગચ્છાનું ભાન થાય છે.
શ્રી જગશ્ચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચદ્રસૂરિ થયા અને મત્રી વસ્તુપાળના દફ્તરી વિજયચંદ્રસૂરિ થયા. એકવેળા વિજયચંદ્ર જ્યાં હતા ત્યાં દેવેન્દ્રસૂરિ પધાર્યાં; છતાં મળવા ન ગયા તેથી બે વચ્ચે વૈમનસ્ય થયું. દેવન્દ્રસૂરિ વિહાર કરતા ખંભાત આવ્યા. વિજયચંદ્રા પ્રથમથી આવેલા હતા. બન્ને જુદા ઉપાશ્રયે રહ્યા. ત્યારથી વિજયચંદ્રવાળા • વડીાશાળ’ અને દેવેન્દ્રવાળા ' ‘ લઘુપાશાળ' તરીકે પ્રસિદ્ધ થયા. લોકકથાઃ
કાઠીયાવાડની જુની વાર્તાઓમાં ખંભાતના એક પ્રભુભક્ત અને પરગજુ આયરની પુત્રી લાડણની વાર્તા છે. દ્વારકા જતાં એણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com