SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દરિયાઈ વેપારથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી પવિત્ર છે. વાણીયાઓની સમુદ્રના વેપારથી મેળવેલી લક્ષ્મીને શાંતિપર્વમાં કર્મ અને વિજ્ઞાનથી મળતા મેક્ષ સાથે સરખાવી છે તે સત્યજ છે. ગુજરાત એની પ્રાપ્તિને માટે સતત પ્રયત્ન કરે તે ભવિષ્ય ઉજળું જ છે.” એતિહાસિક જેનો ઉલ્લેખ વિ. સં. ૧૪૧૫ માં શ્રી જિનચંદ્રસૂરિ આષાઢ વદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા. એજ સાલમાં લૂણીયાગેત્રીય શાહ જેસલે નંદી મહોત્સવ કર્યો. તરૂણપ્રભાચાર્યે શ્રી જિનદયને સૂરિમંત્ર દઇ આચાર્યપદે સ્થાપ્યા. અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા પણ ત્યારેજ થઈ. શ્રી જિનસુખસૂરિ ગોધાની યાત્રા કરી શ્રી સંધ સાથે સ્થંભતીર્થની માત્રા સારૂ વહાણુમાં બેઠા. એકદા થંભતીર્થમાં શ્રીધર વ્યવહારીઆએ સમ્યકત્વ અને શીલવતને નિયમ કર્યો અને સમ્યક્ત્વના ઉદ્યાપનમાં તેણે પ્રતિગામે મુક્તિલતાના જાણે સાક્ષાત ફળ હોય એવા સુવર્ણના ટકા સહિત મોદક મોકલ્યા; તથા ચતુર્થ વ્રતના ઉદ્યાપનમાં તેવીજ રીતે પંચ વર્ણના રેશમી વસ્ત્રોના સારી પહેરામણી મોકલી. તે વખતે મંત્રીશ્વર પેથડને પણ એ ચીજે મેકલી. એ પવિત્ર ચીજાને જાઈ મંત્રીશ્વરે પણ સ્વસ્ત્રીની અનુમતિ સહિત માત્ર છત્રીસ વર્ષની વયે શીલવતને ઉચ્ચાર શ્રી ધર્મષસૂરિ પાસે કર્યો જે વેળા તેમના પ્રવેશોત્સવમાં સેલ હજાર ટકા તેણે ખર્ચા હતા. | વિક્રમના પંદરમા સૈકામાં રચાયેલ મેધાકૃત તીર્યમાળામાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. યંભનયર હિવ તીરણુજાણું, સકલ સામિ શ્રી છે થંભણું; ધનદત્ત તણું પ્રવાહણ જેટલાં, સમુદ્રમાંહિ રાખ્યાં બુડતાં. ધનદત્તસાહ સપનંતર લહે, સાસણ તણું દેવ ઈમ કહે; Shree Sudharmaswami Gyanbhandar-Uimara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy