________________
૫૪૪
અભ્યાસ.
ઉપમેય વાક્યમાં અને ઉપમાન વાક્યમાં શબ્દભેદથી ગ્રહણ કરવામાં આવે; કથિત પદ્મ દ્વાષ કહેવાય છે એથી શબ્દભેદથી ગ્રહણ કરવામાં આવે એ વસ્તુ અર્થાત્ વાક્યાર્થે ઉપમાન હાવાથી પ્રતિવસ્તૂપમા અત્યંતર છે.
યથા.
પટરાણી પરિવાર પદ્મ, ચાહે શિદ જગમાંહિ; ધ્રુવે કરેલ રત્નની, ભ્રષણુગણુના નાંહિ.
આહીં ગૃહકાર્ય માં લાવવાની અયેાગ્યતારૂપ સાધારણ ધર્મ એકવાર ઉપમેય વાક્યમાં અને એકવાર ઉપમાન વાક્યમાં એમ ઉભયવાર કહેવામાં આવેલ છે, એથી પ્રતિવસ્તૂપમા છે. અને આ સાધારણ ધર્મોને “ પરિવાર પર્દને કેમ ચાહશે ? ” ભૂષણગણના નથી; એ રીતિથી ભિન્ન શબ્દાવš કહેવું .એ તા કથિતપદ્મદોષ નિવારણને માટે છે. “ ચન્દ્રાલેકકાર ” આ લક્ષણ આપે છે:— વાપયો સામાન્ય પ્રતિવસ્તૂપમા મતા. એ વાક્યમાં એક સમાન ધર્મ હોય ત્યાં પ્રતિવસ્તૂપમા માનવામાં આવી છે.
યથા.
રવિ રાજે છે તાપથી, ચાપથી ભ્રાજે શૂર;
કુવલયાન દકાર વૃત્તિમાં લખે છે કે જ્યાં ઉપમાન, ઉપમેય વાક્યામાં એક સમાન ધર્મ ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે, એ કૃતિवस्तूपमा.
प्रतिवस्तु प्रतिवाक्यार्थमुपमा समानधर्मोस्यामितिव्युत्पत्तेः ॥
પ્રતિવસ્તુ અર્થાત્ વાક્યાંર્થ વાક્યાર્થ પ્રતિ, ઉપમા અથવા સમાન ધર્મ છે આમાં એ વ્યુત્પત્તિ છે. આહીં શાભાયમાનતારૂપ એક ધર્મ ઉપમેય, ઉપમાન અન્ને વાકચામાં “રાજે છે અને બ્રાજે છે” એ ભિન્ન શબ્દોથી કહેવામાં આવેલ છે.
આચાર્ય ડી તે આને ઉપમાન પ્રકાર માનતાં આ લક્ષણ આપે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com