SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવોક્તિ. ૪૪૧ યથા તને જોઈ નૃપ ભેજને, મરતી સૃષ્ટિ સમસ્ત; આહીં દાની રાજાના ઉદારતાદિ ગુણે જઈ મહારાજા ભેજની સ્મૃતિ આવે છે. “ કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે – यथानुभवमर्थस्य दृष्टे तत्सदृशे स्मृतिः ॥ અનુભવ કરેલ પદાર્થના સદશ જેવાથી જે સ્મૃતિ થાય તે स्मृति अलंकार. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – सदृशादृष्टचिन्तादेरनुभूतार्थवेदनम् । स्मरणं प्रत्यभिज्ञान स्वमावपि न तदबहि ॥ પહેલાં અનુભવ કરેલ પદાર્થના સદશ જેવાથી અદ્રષ્ટથી અથત પ્રારબ્ધથી અને ચિન્તા આદિથી જે જ્ઞાન તે નાઅંજાર અને કાલાન્તરમાં જેએલ પદાર્થને ફરી જેવાથી એવું જ્ઞાન થાય છે કે આ એ છે એવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. તે પ્રત્યભિજ્ઞાન અને સ્વપ્ન પણ સમરણથી ભિન્ન નથી. યથા દળતાં દ્વિપ રણ ખથી, પેખી પ્રતાપ નરેન્દ્ર નગ વિદારતે વાથી, સૂર્ય સંભારે છે. પ્રથમ વજથી પહાડને વિદારતા ઈન્દ્રને સૂર્ય જે હતું, એથી ઉક્ત ઈન્દ્રને સૂર્યને અનુભવ હતો, એના જેવી હલદીઘાટની લડાઈમાં તલવારથી દ્વિરોને (હાથીઓને ) થરથરાવનાર પ્રતાપને જોઈને સૂર્યને ઉક્ત ઈન્દ્રનું સ્મરણ થયું. અહીં નથી અનુભવ કરેલ ઈન્દ્રના સદશ મહાન પ્રતાપરાણુને જેવાથી સૂર્યને ઈન્દ્રની સ્મૃતિ થાય છે અને આગળના ઉદાહરણમાં શ્રવણેથી અનુભવ કરેલ ભેજના જેવા મહાન પતિને જેવાથી સર્વને ભેજની સ્મૃતિ થાય છે. માવોન્ટિ, જશવંતજભૂષણકાર” લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy