SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ કાવ્યશાસ્ત્ર. મણિકાષકાર ” કહે છે કે “ મિજિત મિત્રને ” આહીં નીર ક્ષીર ન્યાયથી મળી જવું વિવક્ષિત છે. જ્યાં નીર ક્ષીરની પેઠે મળી જાય એ મિહિત મહાર. યથા. હરને શેાધી રહી હરા, હર શેાધે કૈલાસ; મળ્યા રામના યશમહીં, નથી પ્રત્યક્ષ પ્રકાશ. યથા. વરણુ વસન સુકુમારતા, સહુ વિધિ રહ્યાં સમાય; પાંખડી લાગી ગુલાખની, તનપર તે ન કળાય. આહીં એવી શંકા ન કરવી જોઇએ કે તમે નીર ક્ષીર ન્યાયથી મિશ્રણમાં મિલિત અલંકાર માન્યા છે. તેથી આ ઉદાહરણમાં એવુ મળવુ નથી. ખન્ને વસ્તુ ભિન્ન ભિન્ન રહે છે. કેમકે આહીં મિશ્રણથી આવી વિવક્ષા છે કે નીરક્ષીરવત્ ભિન્ન ન દેખવુ. ' ,, “ કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ લક્ષણ આપે છે:— समेन लक्ष्मणा वस्तु वस्तुना यन्निगूह्यते । निजेनागंतुना वापि तन्मीलितमिति स्मृतम् ॥ સ્વાભાવિક અથવા આગંતુક સમાન ચિન્હવાળી વસ્તુએ કરીને જે વસ્તુનુ નિગડુન કરવામાં આવે એને નિજ઼િત અલંકાર કહે છે. કાવ્યપ્રકાશકાર ક્રમથી આા પ્રમાણે ઉદાહરણ આપે છે: યથા. ચલગ ગતિ વિલાસભર મ'થર, મધુર વકવાણી મુખતિ વર; લીલા વય કૃત સ્વત: સ્ત્રીઓમહીં, આવેલેા મદ્ય નિરખાયે નહીં. આહીં નેત્રાની ચપલતા ઇત્યાદિ યાવનઅવસ્થામાં સ્વભાવિક છે. એ સમાન ચિાથી યોવન વસ્તુએ કરીને મદવસ્તુનુ ગોપન છે. યથા. છે સકંપ તુજ નામ સુણી, હિમગિરિ છુખ્યા વિપક્ષ; ત્યાં નૃપતિ તુજ ભય થકી, નિરખી શકે નહિ દક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy