SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર ૩૫૫ એ ગતિરાશિત અલંકાર થશે. આ અતિશયોક્તિ અલંકાર અનેક અલંકારનું જીવન છે એથી “વત્તા” એ વિશેષણ આપેલ છે. અને એજ પ્રકરણમાં ફરીને આચાર્ય દંડી કહે છે – अलंकारान्तराणामप्येकमाहुः परायणम् । वागीशमहितामुक्तिमिमापतिशयालयाम् ॥ બૃહસ્પતિને માન્ય અતિશય નામવાળી આ ઉક્તિને બીજા અલંકારનું પણ અવલંબન કહે છે. રૂટ આ પ્રમાણે કહે છે:-- अर्थस्यालंकारा, वास्तवमौपम्यमतिशयःश्लेषः । एषामेव विशेषा अन्ये तु भवन्ति निःशेषाः ॥ અર્થના અલંકાર સ્વભાક્તિ , ઉપમા, અતિશયોક્તિ અને લેષ એ ચાર છે. એનાજ વિશેષ સંપૂર્ણ અલંકાર થાય છે. કાવ્ય પ્રકાશકાર પણ કહે છે કે આવા વિષયમાં અતિશયેક્તિજ પ્રાણરૂપ બનીને રહે છે, એના વિના બહુધા અલંકાર છેજ નહિ. વળી પ્રાચીન કારિકામાં આ પ્રમાણે લખે છે:-- सैषा सर्वत्र वक्रोक्तिरनयार्थो विभाव्यते ।। ચનોડર્યા વિના ના ડરુંજાડના વિના | તે આ વોક્તિ અર્થાત્ અતિશક્તિરૂપ વક્રોક્તિ સર્વત્ર છે. એથી કરીને અર્થને વિશેષ સ્પષ્ટ બતાવી શકાય છે. એથી આ અતિશક્તિના વિષયમાં કવિએ યત્ન કરવો જોઈએ. કારણ કે એના વિના કર્યો અલંકાર છે? સર્વસ્વકાર અતિશયેકિતનું આ સામાન્ય લક્ષણ કહે છે – અવ્યવસિતાધાન્ટેડરિરાયજી અધ્યવસિત” અર્થાત્ અધ્યવસાય કરેલી વસ્તુની પ્રધાનતામાં અતિશયોક્તિ છે. એને એ સિદ્ધાત છે કે અધ્યવસાયની સિદ્ધ દશામાં અતિશયોક્તિ અલંકાર થાય છે, અને અધ્યવસાયની સાધ્ય દશામાં ઉભેક્ષા અલંકાર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy