SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કાવ્યશાસ્ત્ર, અલંકારતા છે. અમારા મત પ્રમાણે તે આવા ચિત્રને સર્વથા અલંકારતા નથી. કેમકે અલંકારતે કાવ્ય શોભાકર ધર્મ છે, અર્થજ્ઞાન નથી. શોભા કરવાવાળા અર્થ અર્થાલંકાર છે, શબ્દજ્ઞાન નથી. શોભા કરવાવાળા શબ્દ શબ્દાલંકાર છે. પણ આમાં તે અર્થવિચારથી તેમજ શબ્દશ્રવણથી રમ્યતા નથી. કિન્તુ કમલાકાર ઈત્યાદિ આલેખ્ય જ્ઞાનથી ચિત્રકાર એના કર્તાની ચાતુરી માત્ર છે. ઢવકાર. અર્થમાં રહી કાવ્યની શોભામાં વૃદ્ધિ કરે એ ચર્ચાઇ મહારાજા ભેજ, આચાર્ય દંડી, રૂટ અને વાડ્મટ એ અર્થીલંકારમાં પ્રથમ સ્વાભાતિનું વર્ણન કરે છે. એ લોકે સ્વાભાક્તિના પ્રથમનિરૂપણને માટે કાંઈ કારણ બતાવતા નથી, પરંતુ એમ જણાય છે કે પ્રથમ સ્વભાવસિદ્ધ અલંકારનું નિરૂપણ કરવું ઉચિત છે, અને ભરત ભગવાન, વેદવ્યાસ ભગવાન આદિ ઘણું પ્રાચીન ઉપમાનું પ્રથમ નિરૂપણ કરે છે. એમાં સર્વસ્વકાર અને ચિત્રમીમાંસાકાર આ હેતુ બતાવે છે. થાયૅ વિચિત્ર વિશ્વનું, બ્રહ્મજ્ઞાનથી જ્ઞાન થાય તેમ ઉપમા સમજે, સહુ ભૂષણનું ભાન કાવ્યરંગભૂમિ ઉપર, આવી ઉપમા નટી એક ખાસ; રંજતિ રૂપ અનેકે, રસિકનાં મન વધારી હલ્લાસ. ઉપમા અત્યંત પ્રસિદ્ધ હોવાથી અમે તે પ્રથમ ઉપમનું વર્ણન કરીએ છીએ. કારણ કે ઉપમા નિરૂપણ કર્યા પછી પ્રાચીન બીજા અલંકારેનું વર્ણન ભિન્ન ભિન્ન કમથી કર્યું છે, એના પૂર્વાપરમાં કઈ હેતુને નિર્વાહ થતું નથી. એથી “અશોકવનિકા” ચાયાનુસાર કર્તાની ઈચ્છા જ હેતુ માનવી પડશે. ૩પમાં. જશવંતજશોભૂષણકાર કહે છે – બહુધા અલંકારે લેકવ્યવહારને અનુસાર છે. લેકમાં વસ્તુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy